રાજકોટ તા.3
પડધરીના ખજુરી ગામે રહેતાં જગદીશભાઈ સોંદરવા બાઈક લઈ ઘરે પરત જતાં હતાં ત્યારે પડધરી ટોલનાકા પાસે બળદ આડો ઉતરતા અક્સ્માત સર્જાયો હતો. પ્રૌઢે સારવારમાં દમ તોડી દિધો હતો.
બનાવની વિગત મુજબ પડધરી તાલુકાના ખજુરી ગામે રહેતાં જગદીશભાઈ મેઘાભાઈ સોંદરવા (ઉ.વ.52) નામનાં પ્રૌઢ ગઈ કાલ સાંજના આઠેક વાગ્યાની આસપાસ સફાઈ કામની નોકરી પુરી કરી પોતાનાં ઘરે બાઈક લઈ જતાં હતાં ત્યારે પડધરી ટોલનાકા નજીક વણપરી ગામ પાસે બળદ આડો ઉતરતા અક્સ્માત સર્જાયો હતો.
બાદ ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં આજે દમ તોડી દિધો હતો. તેઓ એક ભાઈ અને એક બહેનમાં મોટા હતાં. તેમજ તેઓને સંતાનમાં ચાર દિકરા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy