(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 3
વલ્લભીપુર જતી નર્મદા કેનાલમાં પાણશીણા પાસે ખંભલાવનો યુવાન પાણી પીવા માટે ઉતર્યો હતો. પગ લપસી જતાં યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિક તરવૈયાઓએ 3 કલાકની જહેમત બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
લીંબડી તાલુકાના ખંભલાવ ગામના કમલેશભાઈ મોતીભાઈ મકવાણા અને તેમના મોટાભાઈ હરદેવભાઈ મોતીભાઈ મકવાણા કામ અર્થે પાણશીણા ગામે ગયા હતા. કામ પૂર્ણ કરી બન્ને ભાઈઓ ઘરે પરત ફરી રહ્યા હતા. પાણીની તરસ છીપાવવા કમલેશ પાણશીણા-ખંભલાવ ગામની સીમથી પસાર થતી વલ્લભીપુર જતી નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતર્યો હતો.
પગ લપસી જતાં કમલેશ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તેમના મોટાભાઈએ આજુબાજુના લોકોને મદદ માટે બોલાવ્યા હતા. પણ કમલેશભાઈ ક્યાં મળ્યા નહોતા! બનાવ અંગે જાણ થતાં પાણશીણા ગામના સરપંચ મેઘજીભાઈ રવોદરા સ્થાનિક તરવૈયાઓને લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ 3 કલાકની જહેમત બાદ કમલેશને પાણીની બહાર કાઢ્યા હતા. સારવાર માટે કમલેશભાઈને લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં હાજર ડોક્ટરે 32 વર્ષિય કમલેશભાઈને મૃત જાહેર કરતાં પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy