હળવદ,તા.3
હળવદમા મેઘરાજાએ મંડાણ કરતાની સાથે જ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચુકી છે જેમાં હળવદ શહેરમાં સરા રોડપર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે તો સાથે નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉભાં થયાં છે આમ તો હળવદમા છેલ્લાં પાંચ દિવસથી બપોર બાદ વરસાદી માહોલ જોવા મળે છે.
પરંતુ ગત રાત્રે અઢી ઇંચ જેટલો વરસાદ એકી સાથે ખાબકતા નવા ઈશનપુરમા વોકળુ બે કાઠે થતાં ગામ સંપર્ક વિહોણુ બન્યું હતું જોકે નવા અમરાપર ગામમાં પણ પાણી જ પાણી જોવા મળ્યું હતું અને ઘુટણ સુધી પાણી ભરાઈ જતાં ગ્રામજનો અકળાઈ ઉઠ્યા હતાં તો સાથે તાલુકા વિવિધ ગામોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતો ચિંતાતુર થયા હતા.
અવિરત રાત્રીનાં વરસાદના પગલે ધાગંધ્રા બ્રાંચ કેનાલનુ પાણી બ્રાહ્મણી ડેમ 2મા ચાલુ રહેતા રાત્રીના 5 અને ત્યારબાદ 3 અને હાલમાં 2 દરવાજા એક ફુટ ખોલવામાં આવતાં 9 ગામોને એલર્ટ કરાયા હતા જેમાં સુસવાવ, કેદારીયા, મયુરનગર, ધનાળા, રાયસંગપુર, ચાડધ્રા, મિયાણી, ટીકર, અજિતગઢ,માનગઢ સહિતના ગ્રામજનોને નદીનાં પટમા અવરજવર નહીં કરવા સુચના આપી હતી તો સાથે બ્રાહ્મણી ડેમમાં પાણી છોડવામાં આવતા મયુરનગર અને રાયસંગપુર વચ્ચેનો પુલનુ ધોવાણ થયું હતું,જેમા મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી.
જ્યારે બનાવ પહેલાં જ સ્કુલના 50 જેટલા વિદ્યાર્થીઓનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો જ્યારે ઘટનાને પગલે ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોચ્યો હતો અને પુલનુ બેસણું રાખીને રામધૂન બોલાવી હતી અને આગામી ચુટણી બહિષ્કારની ચિમકી આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy