રાજકોટ તા.17
શહેરના નાના મવા રોડ પર આવેલ આનંદી જવેલર્સમાં થયેલ લુંટના ગુનામાં આરોપી રવિ બાબુભાઈ સોલંકી તથા ધર્મેશ અરશીભાઇ સોલંકીની જામીન સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
તા.25-05-2024 ના રોજ બપોરના બે વાગ્યાના સમયે ફરીયાદી સુજીતભાઈ પ્રતાપભાઈ જરીયા તેઓની આનંદી જવેલર્સ નામની દુકાને હતા ત્યારે બે શખ્સો લૂંટ કરવા માટે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી ગ્રાહક બની દુકાનમાં આવ્યા હતા. પછી ફરીયાદીને છરી કાઢી ફરીયાદી સાથે ઝપાઝપી કરી હાથ-પગ, તથા મોઢાના ભાગે છરી વડે હુમલો કરી દુકાનમાંથી સોનાની લક્કી, ચાર વિંટી, પેન્ડલ મળી કુલ 34 ગ્રામ વજનની અંદાજીત કિંમત રૂ.1,50,500 મતા લૂંટી ફરાર થઈ ગયા હતા.
ગુનો નોંધાતા પોલીસે તપાસ કરી આરોપી રવિ તથા ધર્મેશની ધરપકડ કરી હતી. રીમાન્ડ બાદ આરોપીને જેલ હવાલે કરેલ. આરોપીઓએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ. મુળ ફરીયાદીના વકીલ હિતેષ ભાયાણીએ જામીન અરજી રદ કરવા માટે લેખીત વાંધોઓ રજૂ રાખેલા. તેમજ સરકારી વકીલે દલીલો કરેલી. ફરીયાદી તરફેની રજુઆત ધ્યાને લઇ આરોપીઓએ કરેલ જામીન અરજી અધિક સેશન્સ જજે નામંજુર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ દિલીપ એમ. મહેતા તથા મુળ ફરીયાદી વતી એડવોકેટ હિતેષ આર. ભાયાણી, જયમીન જરીયા, લીગલ આસિસ્ટન્ટ દર્શિત પાડલીયા, રોનિત ભાયાણી રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy