મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલી પહેલ અન્વયે વાંકડા ગામ ખાતે ગૌશાળાના પરિસરમાં 125 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. હાલમાં વાંકડા ગામ ખાતે ગામ લોકોના સંયુક્ત સહયોગથી ચાલતી ગૌશાળા ખાતે ગામના સરપંચ ડાયાભાઈ ઘોડાસરા તેમજ તલાટી મંત્રી વિશાલભાઈ અવાડિયાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામજનો ડાયાલાલ વડગાસીયા, ભીખાલાલ વડગાસીયા, કેતનભાઇ વડગાસીયા સહિત હાજર રહ્યા હતા અને ગૌશાળાના પરિસરમાં 125 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy