રાજકોટ. તા.3
ચોમાસાની સીઝન શરૂ થતાં જ રોગચાળાએ શહેરને ભરડામાં લીધું હોય તેમ સિવિલ હોસ્પિટલ પણ ભરચક થવાં લાગી છે અને તાવ જેવી બીમારીના કારણે લોકો મોતને પણ ભેટી રહ્યાં છે. ત્યારે ગઈકાલે તાવની ટૂંકી બીમારી બાદ મૂળ બિહારના શ્રમિક પ્રૌઢનું ટૂંકી સારવારમાં મોત નિપજ્યું હતું. બનાવથી મૃતકના પરીવારમાં શોક છવાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, કોઠારીયા સોલવન્ટમાં રહેતાં શ્યામસુંદરભાઈ ગૌરીભાઈ મંડળ (ઉ.વ.49) ગઈકાલે પોતાના ઘરે હતાં ત્યારે સવારના સમયે તેમને તાવમાં સપડાયો હતો. જે બાદ પ્રથમ તેને સ્થાનિક ક્લિનિકમાંથી સારવાર લીધી હતી. જે બાદ તબિયતમાં સુધારો ન થતાં તેમને વધું સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરી હતી.
વધુમાં મૃતક મૂળ બિહારના વતની અને હાલ અહીં મજૂરીકામ કરતાં હતાં. તેઓ ત્રણ ભાઈ-બે બહેનમાં વચ્ચેટ અને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy