ઉનાના સૈયદ રાજપરા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ફાળવણી કરવા માંગ

Local | Veraval | 03 July, 2024 | 11:37 AM
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા સરપંચ દ્વારા મુખ્યમંત્રીને કરાઇ રજુઆત
સાંજ સમાચાર

ઉના, તા. 3
ઊનાનાં  સૈયદ રાજપરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં 1700 આસપાસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે જે  સંખ્યાની બાબતમાં ગુજરાતની સૌથી મોટી પ્રાથમિક શાળા છે હાલ ગામમાં પ્રાથમિક શાળા અને  માધ્યમિક શાળા શરૂ છે જેથી બાળકો માધ્યમિક સુધીનું શિક્ષણ સરળતાથી મેળવી શકે છે અને ગામમાં જ માધમિક શાળા હોવાથી ક્ધયાઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે.

હાલમાં ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી મળી છે પણ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી  ન હોવાથી ગામના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે 24 કિલોમીટર દૂર  ઉના તાલુકામાંનાં મુખ્ય મથકે શહેરમાં જવું પડે છે.

આ કારણોસર ડ્રોપઆઉટ રેશીયો વધે છે અને  ડ્રોપઆઉટ રેસિયો ઘટાડવાનો લક્ષ્ય પણ સિદ્ધ થતો નથી. ગામમાં જ શાળા શરુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે 24 કિલોમીટર દૂર બહાર ગામ અભ્યાસ માટે જવું નહીં પડે અને બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ મેળવી શકશે જેના થકી સાક્ષરતા દરમાં પણ વધારો થશે.

દિકરીઓ ઘર આંગણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવાં હેતું  મંજૂર થયેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ફાળવણી કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ ગામમાં જ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. આ પ્રશ્નનું નિરાકરણ ખુબ જ જલ્દી લાવવા સૈયદ રાજપરા ગામનાં સરપંચએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj