રાજકોટ, તા.2
રાજકોટ સહિત દેશભરના તમામ 36 ટેલીકોમ સર્કલોમાં બીએસએનએલના કર્મચારીઓ અને પેન્શનરોએ તા.1-1-2017થી નવું પગારપંચ આપવાની માંગણી સાથે દેખાવો-સૂત્રોચ્ચાર કરી જનરલ મેનેજરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
રાજકોટમાં જ્યુબેલી બાગ ટેલીફોન એક્ષ્ચેંજ ખાતે બીએસએનએલના કર્મચારીઓ-પેન્શનરોએ આ આંદોલનાત્મક કાર્યક્રમ યોજી ‘ડીમાન્ડ-ડે’ મનાવેલ હતો.અહીં એ ઉલ્લેખનીય છે કે બીએસએનએલ એમટીએનએસના કર્મચારીઓ-પેન્શનરોને હજુ નવા પગાર પંચના લાભ અપાયો ન હોય કર્મચારીઓ-પેન્શનરોમાં ઉગ્ર રોષ ભભુકી ઉઠ્યો છે.જ્યારે જનરલ મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓને બીએસએનએલ દ્વારા આ લાભ આપવામાં આવે છે. તંત્રની બેવડી નીતિ સામે કર્મચારીઓ-પેન્શનરોએ આક્રોશ વ્યકત કર્યો હતો.આ મુદ્દા આજે કર્મચારી યુનિયનના હોદ્દેદારો દ્વારા ન્યુ દિલ્હી ખાતે કેન્દ્ર સરકારને કોમ્યુનિકેશન મીનીસ્ટર, ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશનના સેક્રેટરી, ટેલીકોમ સર્કિલ ગુજરાતના ચીફ જનરલ મેનેજરને પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy