જામનગર જિલ્લામાં પણ મેઘવિરામ માત્ર છૂટાછવાયા ઝાપટા વરસ્યા

Local | Jamnagar | 03 July, 2024 | 11:52 AM
સાંજ સમાચાર

જામનગર, તા.3
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હોવા છતાં માત્ર છુટોછવાયા  ઝાપટા પડ્યા હતા.જેમાં જિલ્લાના ત્રણ તાલુકામાં એક થી ચાર મિમી જેટલો વરસાદ નોંધાયો હતોજ્યારે ગ્રામ્ય વિસ્તારના 33 પીએસસી માંથી ત્રણ પીએસસીમાં વરસાદ નોંધાયો હતો.તેમાં ભણગોરમાં બે મીમી, ખરેડીમાં ચાર મિમી અને વાસજાળીયામાં પાંચ મીમી વરસાદ નોંધાયો છે.

જ્યારે ગ્રામ્ય પથકમાં વરસાદે વિરામ લીધો હતો.આખો દિવસ ગરમી અને બફારા ને લઈને લોકો શહેરીજનો અકળાઈ રહ્યા હતા જામનગર શહેર છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ  ચાર ઇંચ જેટલો નોંધાયો હતો.જેમાં જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી ઝાપટા ત્રણ તાલુકામાં થયા છે જ્યારે ત્રણ તાલુકામાં વરસાદમાં એ વિરામ લીધો હતો.

જામનગર જિલ્લા કલેક્ટર કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ જામનગરમાં બે મીમી, જામજોધપુરમાં એક મિમી અને જોડિયામાં ચાર મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ જામજોધપુર તાલુકામાં 243 મીમી નોંધાયો છે જ્યારે ધ્રોલમાં સૌથી ઓછો 101મિમી નિયમિત વરસાદ નોંધાયો છે. 

આમ જોઈએ તો જામનગરમાં 131મીમી, જોડીયામાં 162 મિમી જ્યારે કાલાવડમાં 221મીમી તો લાલપુરમાં 181 વરસાદ કુલ નોંધાયેલો છે જિલ્લાની અંદર કુલ 33 પીએસસી માં વરસાદ નોંધવાની કામગીરી ચાલે છે જેમાં  24 કલાક દરમિયાન ત્રણ પીએસસી માં વરસાદ નોંધાયો છે એમાં ભણગોરમાં બે મિમી,ખરેડીમાં ચાર મિમી વાસજાળીયામાં પાંચ મિમી વરસાદ  નોંધાયો છે.

ગ્રામ્ય પંથકમા  સૌથી વધુ વરસાદમાં 329  શેઠ વડાળામાં નોંધાયો છે જ્યારે લતીપુરમાં માત્ર ચાર મિમી વરસાદ થતા  ખેડૂતો પણ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj