પશ્ચિમ બંગાળમાં કાંચનજંગા એક્સપ્રેસ સાથે માલગાડીની ટક્કર: 15 મુસાફરોના મોત, 60 ઘાયલ

India | 17 June, 2024 | 02:38 PM
ટ્રેન સાથે પાછળથી માલગાડી ટકરાતા ત્રણ ડબ્બા ખડી પડ્યા: ટ્રેન દુર્ઘટનાને લઇ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવે દુ:ખ વ્યકત કર્યું
સાંજ સમાચાર

જલપાઇગુડી (પશ્ચિમ બંગાળ), તા.17
બિહાર-પશ્ચિમ બંગાળની સીમા પર આજે ભીષણ ટ્રેન અકસ્માત થયો હતો. રાંગાપાની રેલવે સ્ટેશન પર સિંયાલાહ જઇ રહેલી કાંચનજંગા એકસપ્રેસને પાછળથી માલગાડીએ ટક્કર મારતા કાંચનજંગા એક્સપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ ટ્રેન અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે અને 60 લોકો ઘાયલ થયા છે.

પ્રેપશ્ચિમ બંગાળમાં આજે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જલપાઈગુડીમાં મુસાફરોને લઈને જઈ રહેલી કાંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે કાંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. દુર્ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં 15 મુસાફરોના મોત થયા છે. જ્યારે 60 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. હાલ રેલવે મંત્રી ઘટનાસ્થળે જવા રવાના થયા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આ અકસ્માત સવારે 9.30 વાગ્યની આસપાસ થયો હતો. ટ્રેન નંબર 13174 કાંચનજંગા એક્સપ્રેસની માલગાડી સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે કાંચનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ગંભીર દુર્ઘટનામાં પાંચ મુસાફરોના મોત થયા છે. જ્યારે ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મુસાફરોને બચાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ટ્રેન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું હતું  કે, NFR ઝોનમાં ખૂબ જ દુ:ખદ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

રેલવે, NDRF અને SDRFની ટીમો સાથે મળીને કામ કરી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ ટ્રેન દુર્ઘટનાને લઇને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુ:ખ વ્યકત કર્યું છે. ટ્રેન દુર્ઘટના બાદ બચાવ માટે ડીએમ, એસપી, ડોક્ટર, એબ્યુલન્સ અને આપતિ નિવારણ તેમને ઘટના સ્થળે મોકલી દેવાઇ છે.

બિહારના રાજદ નેતા ભાઇ વિરેન્દ્રે આ ટ્રેન દુર્ઘટના માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી કહ્યું હતું કે જે દેશમાં રેલવેનું ખાનગીકરણ કરવામાં આવે ત્યાં આવી દુર્ઘટનાઓ થતી રહેવાની.

પીએમ મોદી દ્વારા મૃતકના પરિવારને 2 લાખની સહાય
મૃતકના પરિજનોને 10-10 લાખની સહાય જાહેર કરવામાં આવી
ગંભીર ઘાયલોને અઢી લાખ,નાની ઈજા પામનારાઓને 50 હજારની સહાય
જલપાઈગુડી,તા.17

પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ’દુર્ઘટનાના પીડિતોને આપવામાં આવતી સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મૃતકના પરિજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને નાની ઈજાઓ પહોંચી છે તેઓને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને  2 લાખ જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી હતી.

ગેસ કટર થી ડબ્બા તોડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા
જલપાઈગુંડી,તા.17

આ દુર્ઘટનાને પગલે રેલવે મંત્રી ઘટનાસ્થળે જવા રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે ગેસ કટરથી ડબ્બા તોડીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે ટ્રેનના લોકો પાયલટે સિગ્નલની અવગણના કરી હતી. દાર્જિલિંગ જિલ્લામાં રેલવે બોર્ડના અધ્યક્ષ જયા વર્મા સિન્હાએ જણાવ્યું હતું કે ’બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. લોકો પાયલોટ (ટ્રેનના ડ્રાઈવરે)એ સિગ્નલની અવગણના કરી હતી. અને અકસ્માતમાં લોકો પાયલોટ તેમજ ગાર્ડનું પણ મોત થયું છે.’

પૂર્વ રેલમંત્રીનો દાવો
એન્જિનમાં ‘કવચ’ ઓટોમેટિક ટ્રેન સુરક્ષા પ્રણાલી નહોતી: ત્રિવેદી

જલપાઇગુડી: કંજનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાને લઇને પૂર્વ રેલમંત્રી દિનેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાના કારણના બારામાં વાત કરવી હાલ ઉતાવળભર્યું રહેશે પણ આધુનિક સમયમાં તેની તપાસ અને ઉંડા સુધારાની ખાસ આવશ્યકતા છે. મારું અનુમાન છે કે સંભવત: આ એન્જિનમાં ‘કવચ’ (સ્વચાલિત ટ્રેન સુરક્ષા પ્રણાલી) નહોતી. મને એમાં કોઇ શંકા નથી કે સરકાર સુધારાત્મક કાર્યવાહી કરશે.

 

માલગાડીના લોકો ચાલકે સિગ્નલની કરેલી અવગણનાથી દુર્ઘટના સર્જાઇ
દુર્ઘટનામાં માલગાડીના લોકો ચાલક અને કાંચનજંગા એક્સપ્રેસના ગાર્ડનું પણ મોત
જલપાઇ ગુડી, તા.17

કાંચનજંગા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે સર્જાયેલી દુર્ઘટના પાછળ માનવ ભૂલ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. રેલવે બોર્ડના સીઇઓ અને ચેરમેન જ્યાં વર્મા સિંહાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં પણ ટ્રેન દુર્ઘટનામાં માનવીય ભૂલ હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે વધુમાં જાણવા મળેલી વિગત મુજબ માલગાડીના લોકો ડ્રાવરે સિગ્નલને ગણકાર્યું નહોતું જેના કારણે માલગાડી કાંચનજંગા એક્સપ્રેસ સાથે પાછળથી ટકરાઇ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં માલગાડીના લોકો ચાલક અને કાંચનજંગા એક્સપ્રેસના ગાર્ડનું પણ મોત થયું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj