રાજકોટ, તા.2
ભાજપ સરકારે અનેકવિધ કૃષિલક્ષી અને માનવ કલ્યાણલક્ષી નિર્ણયો લઈને રાજ્યના ખેડૂતો અને છેવાડાના માનવીના ઉત્થાન માટે યોગ્ય પગલા લઈને ગુજરાતના આર્થિક રીતે નબળા લોકો અને કિસાનોને સમૃદ્ધ બનાવ્યા છે.
વિજયભાઈ કોરાટએ જણાવ્યું હતું કે, અનુલક્ષીને સરકારના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વિવિધ સરકારી સહાયકારી યોજનાઓ માટે તા.1 જુલાઇથી 30 જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા ગુજરાતની ભાજપા સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ આવતીકાલ તા.3 જુલાઈથી સાધન સહાય યોજના શરૂ કરવામાં આવનાર છે.
જેમાં વિવિધ કામો જેવા કે, કડિયા કામ, સૈન્ટીંગ કામ, મોચીકામ, દરજીકામ, ભરતકામ, કુંભારીકામ, પ્લમ્બર, બ્યુટીપાર્લર, સુથારી કામ, થોબીકામ, વિવિધ પ્રકારની ફેરી, ફ્લોર મિલ, મસાલા મિલ, રૂની દિવેટ બનાવવા જેવા કામો માટે સાધન સહાય યોજના માટે આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy