વઢવાણ તા.3
ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની યાદીમાં જણાવ્યા અનુસાર તા.01 જુલાઈના રોજ જીએસટી લાગુ થયાને 7 વર્ષ પુર્ણ થતાં, સુરેન્દ્રનગર સેન્ટ્રલ જીએસટી, ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને વઢવાણ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે પ્રેસીડેન્ટ હોટેલ, સુરેન્દ્રનગર ખાતે જીએસટી દિવસની વેપારી-ઉદ્યોગકારો, વ્યવસાયિકારો, સીએ, ટેકસ એડવોકેટ, વિવિધ એસોસીએશનો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
સીજીએસટીના સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી દ્વારા જીએસટીને 7 વર્ષ પુર્ણ થતા મહત્વના સુધારાઓ અને તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓ અંગે માહિતગાર કરેલ. વિશેષમાં આસીસ્ટન્ટ કમિશ્ર્નર વિજય ખોમાણી દ્વારા વેપારી-ઉદ્યોગકારોને જીએસટીમાં કોઈ પ્રશ્ન અથવા અસમંજસ હોય તો વિના સંકોચે અને વિના ભયે ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું તેમજ ડિપાર્ટમેન્ટ તરફથી પુર્ણ સાથ અને સહકાર મળશે, જેની ખાત્રી આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા ચેમ્બરના ટેકસ કમીટીના ચેરમેન જયદીપ બાવલીયાએ જહેમત ઉઠાવેલ. આ પ્રોગ્રામમાં સેન્ટ્રલ જીએસટીના વિવિધ ડિવિઝનના અધિકારીઓ, ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ મયુરભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ દિનેશભાઈ તુરખીયા, માનદમંત્રી માધવીબેન શાહ, સહમાનદમંત્રી કેયુરભાઈ કોઠારી, વઢવાણ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ સુમીતભાઈ પટેલ તથા હેમલભાઈ શાહ, વિવિધ વેપાર-ઉદ્યોગના એસોસીએશનના હોદેદારો, સુરેન્દ્રનગર જીએસટી બાર એસોસીએશનનાં હોદેદારો અને સભ્યો, ટેકસ પ્રેકટીશનર મિત્રો તથા વેપારી-ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy