જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલા નાગપુર ખાતેની સરકારી પ્રાથમિક શાળામાં રાજયભરમાં શરૂ થયેલ ક્ધયા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-2024 અંતર્ગત શ્રી નાગપુર પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મુખ્ય અતિથિ તરીકે પીજીવીસીએલના શહેર - 1ના કાર્યપાલક ઇજનેર કે. એમ. વાઘમશી તથા પી. એમ. ત્રિવેદી (પી.જી.વી.સી.એલ.) ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડીના બાળકો, બાલવાટીકાના બાળકો અને ધોરણ-1ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. લાઈઝન ઓફિસર તરીકે સી.આર.સી સાજીતભાઈ સાથે રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના શિક્ષકો, વાલીઓ, એસ.એમ.સી.ના સભ્યો અને ગ્રામજનો પણ હોંશભેર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy