(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 3
સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાના પ્રશ્નોનો નિકાલ લાવવા કલેક્ટર કચેરીમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 25 પ્રશ્નો રજૂથતા કલેક્ટરે નિકાલ લાવવા સુચના આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તા.29-6-24ના રોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો
.જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા દબાણ, 7/12માં નોંધ પાડવા બાબત, વરસાદી પાણીના નિકાલ, શાળાના ઓરડા સહિતના કુલ 25 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે જિલ્લામાં યોજાયેલ તાલુકા સ્વાગતમાં કુલ 45 અરજીઓ આવી હતી. આ તમામ અરજીઓનો પણ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં અધિકારીઓ,કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રીએ રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy