રાજકોટ તા.3
શહેરનાં શ્રી હરી સોસાયટીમાં રહેતાં મગરેભાઈ શેખ પોતે ભાડે રાખેલ ડેલે ભંગાર લેવાં શાપર જતાં હતાં ત્યારે લલીત પરમારે મારા ડેલામાં ભંગાર ભરવા આવીશ તો જાનથી મારી નાખીશ કહી ધમકી આપી હતી. શાપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી મગરેભાઈ નાનકુભાઈ શેખ (ઉ.વ.40 રહે. જંગલેશ્વર વિસ્તાર શ્રી હરી સોસાયટી, રાજકોટ) એ લલીત મૂળજીભાઈ પરમાર સામે ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ હતું કે તેઓ ભંગાર લે-વેચનુ કામ કરે છે. આજથી દોઢેક વર્ષ પહેલા અમે લલીતભાઇ મુળજીભાઈ પરમાર (રહે-પારડી શીતળા મંદિર તા-લોધીકા) નો ડેલો ભાડે રાખેલ હતો. અને અમે ત્રણેક મહીના પહેલા મારી પત્નીની તબીયત ખરાબ થઇ જતા અમારા વતનમાં જતા રહ્યા હતા. બાદ અમે અમારા વતનથી રાજકોટ આવ્યાં.
ત્યારે અમે ભાડે રાખેલ લલીતભાઈ પરમારના ભંગારના ડેલે મારો ભંગારનો માલ સામાન લેવા માટે ગયેલ ત્યારે આ લલીતભાઈ અમને જેમ ફાવે તેમ અપશબ્દો આપવાં લાગેલ. અને માર મારેલ હતો. તે વખતે કોઈ ફરિયાદ કરેલ નહિ. બાદ ગઈ કાલે બપોરના અઢી વાગ્યાની આસપાસ હું શાપર વેરાવળ લલીતભાઈના ડેલે મારો ભંગારનો માલ સામાન લેવા માટે જતો હતો.
ત્યારે મારા ભાણેજના ભંગારનો ડેલો ગુજરાત એલોય કાસ્ટ કારખાના સામે આવેલ હોય ત્યા પહોંચતા લલીતભાઈ મારા ભાણેજના ભંગારના ડેલે આવી ગયેલ. અને અમને કઈ પણ કહ્યા વગર જેમ ફાવે ઢીકા પાટુનો માર મારવા લાગેલ ત્યારે મારા ભાણેજ વચ્ચે પડતાં તેને પણ ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને જેમ ફાવે તેમ અપશબ્દો આપવા લાગેલ.
બાદ લલિતભાઈ પરમાર અમને કહેલ કે, હવે પછી મારા ડેલા ઉપર ભંગાર ભરવા આવીશ અને મને ભેગો થઇશ તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી. બનાવ અંગે શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy