અમદાવાદ,તા.17
સરકારી તંત્રોની લાપરવાહીને કારણે ગુજરાતમાં એક પછી એક ગોઝારી દુર્ઘટનાઓથી સરકાર તો ખળભળી જ છે અને હાઈકોર્ટે પણ આકરા પાણીએ છે. રાજકોટ અગ્નિકાંડ મામલે ફેકટ-ફાઈન્ડીંગ (સભ્યશોધક) કમીટી મારફત તપાસની સાથોસાથ ગુજરાતની વડીઅદાલતે તમામ મ્યુનીસીપલ કોર્પોરેશનની કામગીરીની તપાસ કરીને એક મહિનામાં રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે.
હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ તથા જસ્ટીસ પ્રણવ ત્રિવેદીની બેંચે શહેરી વિકાસ તથા શહેરી આવાસ વિભાગના મુખ્ય સચિવને સરકારી કાર્યવાહી ઠીકઠાક કરવા માટે કડક કદમ ઉઠાવવાની સૂચના આપી હતી.
ગુજરાતના કોર્પોરેશનોના કમીશ્નરોની કામગીરી ‘લાપરવાહ’ જેવી હોવાનુ વિવિધ દુર્ઘટના પરથી સુચવાય રહ્યું છે ત્યારે તમામ કોર્પોરેશનોની કામગીરી ચકાસવાનું અનિવાર્ય થઈ ગયુ છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, હરણીબેટ દુર્ઘટના, રાજકોટ અગ્નિકાંડનો આ તકે ઉલ્લેખ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy