ગાંધીનગર,તા.17
મૃદુ અને સરળ મુખ્યમંત્રીની છાપ ધરાવતા ભૂપેન્દ્ર પટેલ રાજકોટના અગ્નિકાંડ મામલે અત્યંત આકરા પગલા લેવાના મૂડમાં છે. રાજકોટના કોર્પોરેશનમાં પોલીસ વિભાગના અધિકારીઓની ધરપકડ બાદ વધુ કેટલાંક માથા ઝપટે ચડી શકે છે. તપાસનીશ એજન્સીઓ જુદા-જુદા અધિકારીઓની ભૂમિકા તથા તેમની બેદરકારીની તપાસ કરી જ રહી છે ત્યારે રિપોર્ટ બાદ વધુ કેટલાકનો ‘વારો’ ચડી શકે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરની બેઠકમાં ભ્રષ્ટાચાર સામે તૂટી પડવાના આદેશ કર્યા હતા. મૃદુ અને સરળ મુખ્યમંત્રી તરીકેની ઈમેજ કડક તથા તાતાકવાર નેતા તરીકે ઉપસવા લાગી છે. ભ્રષ્ટાચાર કે નાગરિકોને કોઈપણ જાતની હેરાનગતિ સહન નહીં કરવાની ચિમકી પ્રધાનો તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આપી હતી.
રાજય સરકારના જ માહિતગાર સૂત્રોએ કહ્યું કે ફિલ્ડ લેવલે ભ્રષ્ટાચારી અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા બાદ હવે સચિવાલય-સચિવ સ્તરે થતા ભ્રષ્ટાચાર પર તોપ તકાઈ શકે છે. આજે તેમાં કેટલાંક માથા પર ત્રાજ વરસી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં મુખ્યમંત્રીએ બેઠક રાખી હતી. રાજકોટના અગ્નિકાંડમાં જવાબદાર કોઈ અધિકારી કે અન્ય કોઈને પણ નહીં છોડવાનું સ્પષ્ટ કર્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy