ઈન્ડિયન આર્મીને ભારતમાં નિર્માણ પામેલ આત્મઘાતી ડ્રોન નાગાસ્ત્ર-1ની પ્રથમ કન્સાઇન્ટમેન્ટ મળેલ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને અનુસાર આડ્રોન્સને નાગપુરની કંપની સોલાર ઇન્ડસ્ટ્રીઝની ઇકોનોમિકસ એકસપ્લોસિવ લીમીટેડ યુનિટે બનાવેલ છે.
સેનાએ 480 લોઇટરીંગ મ્યુનિશન (આત્મઘાતી ડ્રોન) નો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી 120ની ડિલીવરી થઇ ચૂકી છે. આ ડ્રોન દુશ્મનની બંકર, પોસ્ટ અને હથિયારોના ડેપોને નષ્ટ કરી દેશે. સામાન્ય ભાષામાં તેને સ્યુસાઇડ ડ્રોન્સ કહેવામાં આવે છે.
► 60 મીનીટ સુધી ઉડી શકશે
ડ્રોન ઓછા અવાજથી અને ઓછી વિઝીબીલીટી ટેકનોલોજીની મદદથી દુશ્મનના ઘરમાં ઘુસીને હુમલો કરાવી શકશે. તે 60 મિનિટ સુધી ઉડી શકે છે. તેની રેન્જ 15 કિ.મી. છે.
► 75% સ્વદેશી સામગ્રીથી તૈયાર કરાયું છે ડ્રોન
ડ્રોનમાં વપરાતી 75 ટકા સામગ્રી સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. તેની ડિઝાઇન સંપૂર્ણપણે દેશમાં જ બનાવવામાં આવી છે. તેની મદદથી સરહદ પારથી આતંકવાદીઓની ઘુસણખોરી રોકી શકાય છે.
► 4500 મીટર ઉપર જઇને હુમલો કરી શકવાની ક્ષમતા
તેનું વજન 30 કિલો છે બે કિલો વજન ધરાવતું 4500 મીટરની ઉંચાઇએ ઉડતું તે દુશ્મનની ટેન્ક, બંકર, બખ્તરબંધ વાહનો તથા હથિયારોના ડેપો, સૈન્યના જુથો પર સીધો હુમલો કરી શકે છે.
► દિવસ-રાત તેનો ઉપયોગ થઇ શકે છે
ડ્રોનને નાગાસ્ત્ર-1 નામ આપવામાં આવ્યું છે. તેની રેન્જ 30 કિ.મી. સુધી છે. દિવસ અને રાત બંને સમયે તેનો ઉપયોગ કરીને હુમલો કરવા માટે સક્ષમ છે. આ લોન્ચર દ્વારા ઉડે છે.
► ડ્રોનમાં પેરાશુટની પણ સુવિધા છે
ડ્રોનની એકબીજી ખાસ વિશેષતા છે કે એ પેરાશુટ રિકવરી મિકેનિઝમ છે. જે મિશનને રદ કરવામાં આવે તો દારૂગોળો પાછો મેળવી શકે છે. તેનું સોફટ લોન્ડીંગ પેરાશુટ દ્વારા કરી શકાય છે.
► આત્મઘાતી ડ્રોન શું છે ?
આત્મઘાતી ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમનો એક ભાગ છે. આ ડ્રોન હવામાં લક્ષ્યની આસપાસ ફરે છે અને હુમલો કરે છે. તેની અંદર વિસ્ફોટકો ભરેલા હોય છે અને નિશાન પર અથડાતા હોય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy