રાજકોટ, તા.2
ગાર્ડી વિદ્યાપીઠ સાથે સંકળાયેલ શ્રી વી. એમ. મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ દ્વારા તાજેતરમાં આયુર્વેદના સ્વસ્થવૃત વિભાગ અંતર્ગત ’ચિકિત્સાની દ્રષ્ટિએ યોગની વિશિષ્ટતા’ વિષયક ગેસ્ટ લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેસ્ટ લેક્ચરર તરીકે જુનાગઢ સ્થિત સરકારી આયુર્વેદ કોલેજમાં સ્વસ્થવૃત વિભાગના વિભગાધ્યક્ષ અને પ્રોફેસર તરીકે ફરજનિષ્ઠ વૈદ્ય પાર્થિવ જી. ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
વૈદ્ય પાર્થિવ ભટ્ટ એ સૌપ્રથમ યોગ વિશેની સામાન્ય માહિતી ટૂંકમાં સમજાવીને આધુનિક સમયમાં યોગનું મહત્વ શા માટે છે તેની જાણકારી આપી હતી. શારીરિક અને માનસિક સ્તરે યોગની શરીર પર કેવી રીતે અસર થાય છે? તે વિશે જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે ’નાદયોગ’ કે જે યોગ નો એક પ્રકાર છે જેમાં ધ્વનિ અને તેના તરંગો દ્વારા ષટ્ચક્રને એક્ટિવેટ કરવામાં આવે છે જેમ કે ’ૐ’ જેવા શક્તિશાળી ધ્વનિ તરંગ દ્વારા અનાહત ચક્રને એક્ટિવેટ કરવામાં આવે છે. ત્યારબાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓ, પ્રધ્યાપકોને ’ૐ’ નું સાચી રીતે ઉચ્ચારણ કરવાની પ્રેક્ટિસ કરાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ રોગની આયુર્વેદ ચિકિત્સા સાથે યોગને પણ શામેલ કરવાથી વધારે સારું પરિણામ , મેળવી શકાય છે. તેમણે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસને થીમ અનુસંધાને ’સ્વયં અને સમાજ માટે યોગ’ સબંધિત માહિતી આપી હતી..આ માહિતીસભર કાર્યક્રમમાં સંસ્થાનો સમગ્ર પ્રધ્યાપકગણ તેમજ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy