જુનાગઢ તા.3
વંથલી ટોલનાકા કેસમાં કોડીનાર પીઆઈ એ.આર. ભોજાણીને ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ સસ્પેન્ડ કરી દીધા છે. તેમની જગ્યાએ એન.આર. પટેલને મુકવામાં આવ્યો છે.
વંથલી ટોલનાકાની બબાલ બાદ આજ સુધી ભોજાણી સહિતના આરોપીઓ પોલીસની પડકથી દુર રહેતા તમામને ઝડપી લેવા પોલીસે ચોતરફ તપાસ હાથ ધરી છે. ગત રવિવારના બપોર બાદ વંથલી ટોલનાકા ઉપર કોડીનારના પીઆઈ ભોજાણીને ટોલનાકા કર્મી ભાવેશ ટાટમીયાએ આઈ કાર્ડ માંગતા બબાલ થતા પીઆઈ ભોજાણીએ રીવોલ્વર બતાવી 20થી 22 જેટલા શખ્સોએ ભાવેશ ટાટમીયા અને સંચાલક રાજેશભાઈ અરજણભાઈ છૈયા પર પાઈપો લાકડીઓ વડે ઘાતક હુમલો કરતા બન્નેને ગંભીર ઈજાઓ થતા ઘાનગી દવાખાને ખસેડવામાં આવેલ હતા.
કેશોદ ડીવાયએસપી બી.સી. ઠાકર અને ટીમે આરોપીઓને ઝડપી લેવા કોડીનાર સોમનાથ સહિતના સ્થળે તપાસ કરતા કોઈ પત્તો લાગ્યો ન હતો. ગીર સોમનાથ એસપી મનોહરસિંહે પીઆઈ ભોજાણીને સસ્પેન્ડ કરી દીધા છે. બનાવ સમયે ભોજાણી રજા ઉપર હોવાનું એસપીએ જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy