(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.3
ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ બંધાયો હતો. જિલ્લાના પાલીતાણા માં પોણો ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટા ને બાદ કરતા ઉઘાડ નીકળ્યો હતો. ચાર દિવસના સતત વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતો વાવણી ના કાર્યમાં જોતરાઈ ગયા હતા.
છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના ઘોઘા માં 2 મી.મી., ભાવનગર શહેરમાં 2મી.મી .,સિહોરમાં 7 મી.મી. ,ગારીયાધારમાં 4 મી.મી., પાલીતાણામાં 19 મી.મી. અને તળાજામાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે. આજે બુધવારે સવારે ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં તડકો નીકળ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy