મીઠાપુર: આત્મહત્યાના કેસમાં પતિ અને સાસુનો નિર્દોષ છૂટકારો

Local | Veraval | 03 July, 2024 | 11:24 AM
સાંજ સમાચાર

(કમલેશ પારેખ)
મીઠાપુર, તા.3
ગીર સોમનાથનાં ઉના ગામનાં રહીશ જુવાનસીંહ જેઠીજી ચૌહાણ નાં દીકરી સંતોષબાના લગ્ન બનાવનાં દોઢેક માસ પહેલા ખંભાળીયાનાં રહીશ ધર્મરાજસીંહ ઉર્ફે રાજદીપસીંહ નીંમળસીંહ ઉર્ફે નીરુભા ઝાલા સાથે થયેલ હતાં અને લગ્ન જીવન દરમ્યાન સંતોષબાને તેના પતિ તથા સાસુ લીલાબા મેણા ટોણાં મારી કરીયાવરમાં હલકી વસ્તુ લાવેલ છે. તેમ સંભરામણી કરી, અવાર નવાર શારીરીક, માનસીક ત્રાસ આપતા મરી જવા મજબુર કરતાં, જેથી કંટાળી જઈ સંતોષબાએ તા. 3/7/19 નાં સાંજના સમયે ધરે રુમમાં સાડી વડે ગળા ફાંસો ખાઈ મરણ ગયેલ.

અને તે રીતે લગ્ન નાં દોઢ માસ માં આત્મ હત્યા કરતાં ઉપર મુજબ ની ફરીયાદ મરણ જનાર ના માતા સુરજબા વા/ઓ જુવાનસીંહ ચૌહાણ એ ખંભાળીયા પોલીસ સ્ટેશન માં આપતા પોલીસે સંતોષબાનાં પતિ તથા સાસુ ઉપર ઈંઙઈ ની કલમ 306,498અ, 114 મુજબનો ગુનો દાખલ કરી તપાસનાં અંતે ચાર્જસીટ દાખલ કરેલ.

ત્યારબાદ ઉપરોકત બન્ને આરોપીઓ સામે ખંભાળીયા ની સેસન્સ અદાલતમાં કેશ ચાલી જતાં આરોપીઓ નાં વકીલ જીતેન્દ્ર કે. હીન્ડોચા ની સાહેદાની વિસ્તૃત ઉલટ તપાસ તથા દલીલો તથા ઉચ્ચ ન્યાયાલાયનાં ચુકાદાઓ ધ્યાને લઈ ખંભાળીયાના સેસન્સ જજ  એસ. વી. વ્યાસે બન્ને આરોપીઓ ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આરોપીઓ તરફે વકીલ જીતેન્દ્ર કે. હીન્ડોચા, અભીષેક એન. ધ્રુવ તથા હષિદાબેન અસાવલા રોકાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj