આગામી અષાઢી બીજના રોજ નીકળનાર ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા સંદર્ભે શહેરના ઘોઘાગેટથી હલુરિયા ચોક સુધીના રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા મોડી રાત્રીના સઘન તપાસ કરવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. સહિતના પોલીસ અધિકારીઓ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા મહાનગરપાલિકાની ટીમને સાથે રાખીને ઘોઘાગેટથી હલુરીયા ચોક સુધીના રથયાત્રાના રૂટ પર આવતા ડ્રેનેજ લાઈનના મેઈનહોલની તપાસ કરવામાં આવી હતી તેમજ દરેક મેઈનહોલ ઉપર મોકિંગ કરવામાં આવ્યા હતા.
(વિપુલ હિરાણી)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy