ન્યુયોર્ક (અમેરિકા) તા.17
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરા કેસમાં મોટો અપડેટ બહાર આવ્યો છે, જે મુજબ પન્નુની હત્યાનું કાવતરુ રચવાની આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું ચેક ગણરાજયે અમેરિકાને પ્રત્યારોપણ કર્યુ છે અને ગુપ્તાને ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં હાજર કરવામાં આવી શકે છે.
આ અંગેની વિગત મુજબ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર આરોપી નિખિલ ગુપ્તાને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં યુએસ સરકારની વિનંતી પર 52 વર્ષીય ગુપ્તાની ગયા વર્ષે ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. આજે તે ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં હાજર થવાની ધારણા છે. ગુપ્તાને હાલમાં બ્રુકલિનમાં ફેડરલ મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તે કેદી તરીકે સૂચિબદ્ધ છે.
અમેરિકાની વિનંતી પર નિખિલ ગુપ્તાની 30 જૂને ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પર તત્કાલીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે એક ભારતીય નાગરિક હાલમાં ચેક રિપબ્લિકની કસ્ટડીમાં છે. તેના પ્રત્યાર્પણ માટેની અરજી હાલમાં પેન્ડિંગ છે.
પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું નામ સામે આવ્યું હતું. અમેરિકી અધિકારીઓનો આરોપ છે કે નિખિલ ગુપ્તાએ એક અજાણ્યા ભારતીય સરકારી કર્મચારીના નિર્દેશ પર અમેરિકામાં પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ પછી અમેરિકાએ નિખિલ ગુપ્તા સામે કાર્યવાહી શરૂ કરી હતી. અમેરિકાની અપીલ પર ચેક રિપબ્લિકે નિખિલ ગુપ્તાની ધરપકડ કરી હતી અને પ્રત્યાર્પણની તૈયારીઓ શરૂ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy