ઉના, તા. 3
ગુજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામા અન્વયે પોલીસ અધિક્ષક ગીરસોમનાથની કચેરીના આધારથી મહીલા પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ સ્ટેશનના આઉટ પોસ્ટ, પોલીસ ચોકી, બીટ સહિતના તમામ શહેરી ગ્રામીણ કોસ્ટલ હદ વિસ્તારોને નવેસરથી નક્કી કરતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
ઉના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગીરગઢડા પોલીસ સ્ટેશન અને નવાબંદર મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા ટ્રાન્સફર થયેલ હોય અને ગીરગઢડા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માથી ઉના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ટ્રાન્સફર થયેલ હોય તેવા ગામોનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં ઉના પોલીસ સ્ટેશન હદ માંથી નિકળી ગયેલ ગામો જે ગીરગઢડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા ઉમેરાયેલ છે તેમાં મોટા સમઢીયાળા, નાના સમઢિયાળા, બંધારડા, નાળીયેરી મોલી, કાંધી, મોટી મોલી, કાકેડી મોલી, ચારોલી મોલી, લુહારી મોલી, છાણા વાકીયા, પાણખાણ, વડવિયાળા, ઝુડવડલી, પડાપાદર (આથમણાપડા-ઉગમણાપડા) આમ કુલ 14 ગામો ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ઉમેરો થયેલ છે.
તેમજ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા ઉમેરાયેલ ગામો નાળીયા માંડવી, નાંદણ, રાજપુત રાજપરા ત્રણ ગામો છે. અને ગીરગઢડા પોલીસ સ્ટેશન માથી નિકળી ઉના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા ઉમેરાયેલ ગામો સિમાસી, ભેભા, ડમાસા, મઘરડી, તેમજ રાણવશી 5 ગામોનો સમાવેશ થયેલ છે. આમ ઉના, નવાબંદર, અને ગીરગઢડા પોલીસમાં કુલ 22 ગામોનો ફેરફાર થયેલ હોય ઉના સ્ટેશનના પી આઈ એમ.એન.રાણા એ તાલુકાની જનતા માટે જાહેર કરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy