(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 3
ધ્રાંગધ્રા શહેરમાં આગામી તા.7 જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથની 11મી રથયાત્રા લઈને ડીવાયએસપી જે ડી પુરોહિતની અધ્યક્ષતામાં શહેરના ફુલેશ્વર રોડ, રાજકમલ ચોક, શાક માર્કેટ, શક્તિ ચોક સહિત વિવિધ વિસ્તારોમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ પોલીસ અધિકારી દ્વારા રૂટ રીહર્સલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
ધ્રાંગધ્રા શહેરમાં આગામી તા.7 જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથની 11 મી રથયાત્રા ને લઈને લોકો માં ભારે હર્ષોઉલ્લાસ સાથે ઉજવાતી આવી છે જેમાં ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળતી હોય છે ત્યારે રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા ધ્રાંગધ્રાનાં જાહેર માર્ગો ઉપર નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતની અધ્યક્ષતામાં સીટી પી આઈ એમ યુ મશી, પી એસ આઈ, સહિત પોલીસ અધિકારી દ્વારા રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળથી રોકડીયા સર્કલ, રાજકમલ ચોક, નવયુગ સર્કલ, શક્તિ ચોક તેમજ જુમ્મા મસ્જિદ સુધીના રૂટમાં પોલીસનો મોટો કાફલો નીકળીને જાહેર વ્યવસ્થાની તકેદારી લીધી હતી. યાત્રા પૂર્વે જાહેર જનતાને અડચણ ઉભી ન થાય તેં માટે ટ્રાફિક વ્યવસ્થા, ડ્રોન કેમેરા નેટવર્ક, પોલીસ પોઇન્ટ જેવી નાની નાની બાબતો ઉપર પોલીસ અધિકારીઓની બાજ નજર રહેશે તેમ આ પેટ્રોલિંગમાં જોવા મળ્યું હતું.
જો કે ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળનાં સંતો દ્વારા આ 11મી રથયાત્રાનું ખાસ આયોજન હોવાથી ધ્રાંગધ્રાનાં હરિ ભક્તો રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે પોલીસે પણ કાયદો વ્યવસ્થા સંભાળવા કમર કસી લીધી છે અને પોલીસ દ્વારા શહેરમાં રૂટ રીહર્સલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy