(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.3
સુરેન્દ્રનગર શહેરના જોરાવર નગર અને સુરેન્દ્રનગર ખાતે ચેતના સ્વીટમાર્ટની શાખા ધરાવતા યુવા અને જિંદાદિલ ઇન્સાન એટલે કે ચેતન સતાણી તેનું મોટું મિત્ર વર્તુળ અને તેના મોટા પરિવારમાં પણ તેની પોતાની એક આગવી ઓળખ હતી ત્યારે ત્રણેક વર્ષ પહેલા તેનું અચાનક દુ:ખદ અવસાન થતાં સત્તાની પરિવાર ઉપર એકના એક પુત્ર ચેતનભાઇ સતાણી ગુમાવતા દુ:ખની લાગણી અને પિતા અને માતા અને પત્ની અને બાળકો ઉપર આ તૂટી પડ્યું હતું.
ત્યારે આજે તેનો જન્મદિવસ અવસર છે ત્યારે તેની યાદ કરી અને પરિવારજનોએ આજે ધાર્મિક માહોલ સાથે પોતે ઉપસ્થિત નથી છતાં પરિવારજનોમાં કિશોરભાઈ સતાણી પિતાશ્રી માતૃશ્રી કુસુમબેન તેમજ પત્ની જાગૃતીબેન પુત્રી ભક્તિ અને પુત્ર ધ્રુવાંશ સહિતના પરિવારજનો આજે વહેલી સવારના ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
આજે તેના જન્મદિવસ અવસરે ગાયોને ખડ પાણી નાખી અને નાના નાના બાળકોને ચીજ વસ્તુઓનું વિતરણ કરી અને આજે પોતે હાજર નથી છતાં તેના જન્મદિવસમાં કોઈપણ ખામી ના વર્તાય તે રીતે પરિવારજનોએ ઉજવણી કરી હતી ત્યારે પરિવારમાં કાકા વિજયભાઈ કાકી હીનાબેન રવિ અને અન્ય પરિવારજનો પણ સાથે ધાર્મિક માહોલ સાથે આજે તેના જન્મદિવસ અવસરે પ્રાર્થના કરી અને તેના જન્મદિવસની ઉજવણીના સહભાગી બન્યા હતા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy