(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.3
ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો હોય છે જેને અટકાવવો ખૂબ જરૂરી છે જિલ્લાના ગ્રામ્ય તથા શહેરીજનોને સુરક્ષિત રહે તે માટે પાણીજન્ય રોગોથી બચવા માટે કેટલાક સૂચનો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં શુદ્ધ પાણી પીવાનું કહેવામા આવે છે જો કે, તંત્ર ફિલ્ટર કર્યા વગર જ પાણી આપે છે તેનું શું તે સવાલ ઉઠી રહ્યો છે.
હાલમાં તંત્ર દ્વારા સુરક્ષિત પાણી પીવા માટે કહેવામા આવ્યું છે અને ખાતરી કરો કે તમારું પીવાનું પાણી ટ્રીટેડ અને શુદ્ધ છે. તેમજ પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે જો કે, પાલિકાનો સમાકાંઠે વિસ્તારમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેનું શું તે જોવાની તસ્દી કોણ લેશે તે સવાલ ઉઠી રહયો છે. અને દૂષિત પાણીના સ્ત્રોતો તળાવો, નદીઓ અથવા કુવાઓ જેવા અજાણ્યા અથવા અનહાઇજીનીક સ્ત્રોતોમાંથી પીવાનું પાણી ન લેવા માટેની સલાહ આપવામાં આવેલ છે. પણ સામાકાંઠા વિસ્તારમાં આવેલ ફિલ્ટર હાઉસની સફાઈ કોણ કરાવશે તે સૌથી મોટો સવાલ છે.
ફળો અને શાકભાજી ધોઈને ખાવા, કાચા અથવા ઓછા રાંધેલા માંસ, સીફૂડ અને ઈંડાને ટાળો, હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, પાણી શુદ્ધિકરણની ગોળીઓ અથવા ફિલ્ટરનો ઉપયોગ કરો, તબીબની સલાહ બાદ બજારમાં ઉપલબ્ધ કોલેરા, ટાઈફોઈડ અને હેપેટાઈટીસ અ જેવા પાણીજન્ય રોગો સામે રસી લેવાનું વિચારો તે સહિતના સુફિયાણી સલાહ આપવામાં આવી છે તંત્રની જે બેદરકારી છે તેના માટે કોઇની સામે પગલાં લેવામાં આવશે કે નહીં તે તો આગામી સમયમાં બતાવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy