જામ ખંભાળિયા, તા.3
સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ચાલી રહેલાં વિકાસ કાર્યો પૈકીના સનસેટ પોઈન્ટ નજીકના વોકીંગ ટ્રેકની દિવાલનો વિશાળ ભાગ તાજેતરના પહેલા જ વરસાદમાં ધરાશાયી થઈ ગયો છે. નગરપાલીકા દ્વારા કોન્ટ્રાકટ મારફતે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવી રહેલ આ વોકીંગ ટ્રેકનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી અને દિવાલ બન્યાના પહેલા વરસાદના પહેલા રાઉન્ડમાં જ આ દીવાલનો આશરે 50 મીટરથી વધુ જેટલો ભાગ ધરાશાયી થઈ ગયો છે.
સ્થળ પરના નિરીક્ષણમાં વેરીફીકેશન બોર્ડ માર્યા વગર ચાલી રહેલી લાખો રૂપિયાની કામગીરી અંગે પ્રાથમિક દ્રષ્ટિએ દિવાલ નિર્માણની ગુણવત્તાની સામે સવાલો ઊભા થાય તેવી કામગીરી હોવાનું કહેવાય છે. આ અંગે જો ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવે તો દીવાલને ગુણવત્તા અંગે ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ જાણકારોનું માનવું છે.
(તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy