રાજકોટ તા.17
પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓની તોડફોડ કરાતા સમસ્ત જૈન સમાજમાં આક્રોશ છવાયો છે. વડોદરા, સુરત તથા અમદાવાદમાં જૈન સંતો તથા જૈન સમાજના અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને રોષ વ્યક્ત કર્યો હતો.
આ ઘટના ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ આવતા તેમણે જણાવ્યું કે આ અંગેની વિગતો મુખ્યમંત્રી સમક્ષ જણાવાઈ છે અને કલેકટરને સૂચના આપી દેવાઈ છે. નિયમ મુજબ વર્ષો જુની પ્રતિમાઓને હટાવવાનો હકક કોઈને નથી. હજારો વર્ષ જુની જૈન તીર્થકરોની પ્રતિમાને હટાવાઈ તે આઘાતજનક છે.
તાત્કાલિક એસપી અને કલેકટરને પ્રતિમાજી મુળ સ્થાને મુકી દેવાની સૂચના અપાઈ છે. પાવાગઢ ઐતિહાસિક તીર્થ છે. આ ડુંગર પર હજારો વર્ષ જૂની જૈન મૂર્તિઓ છે, જયાં ભાવિકો સેવાપૂજા કરે છે. કોઈપણને ધર્મસ્થળ તોડવાની પરવાનગી નથી તેમ આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવેલ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy