(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.3
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ચોમાસાની શરૂઆતથી જ વીજ ધાંધીયા શરૂ થઈ ગયેલ છે જેનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરવામાં આવી છે જો કે, કામ નહિ કરવામાં આવે તો વેપારી હેરાન થશે.
નવલખી રોડે આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે હજુ ચોમાસાની શરૂઆત થયેલ છે ત્યાં જ સાથે વીજ ધાંધીયા શરૂ થઈ ગયેલ છે ત્યારે અવાર નવાર વીજ ધાંધીયાથી દુકાનદારો હેરાન થાય છે અને આ બાબતે અધિકારીને રજૂઆત પણ કરી છે તો પણ વીજ ધાંધીયા બંધ થતાં નથી. અને વેપારીઓને તેના ધંધા રોજગાર બંધ રાખવા પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે .
ત્યારે વીજ લાઇનનું સારી રીતે મેન્ટનેસ કરી વેપારીઓને નિરંતર વીજ પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવાની દુકાનદારો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી છે અને જો કામ નહીં કરવામાં આવે તો લેખિત અરજી કરવામાં આવશે તેવું દુકાનદારોએ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy