રાજકોટ,તા.17
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે કુરબાનીના પર્વ ઈદ્-ઉલ-અઝહાની પરંપરાગત રીતે કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરી હતી આ પ્રસંગે સવારના મુસ્લિમ બિરાદરોએ ઈદ્ગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરી દેશની એકતા અને વિકાસ માટે દુઆ માંગી હતી તેમજ મુસ્લિમ બિરાદરોએ પરસ્પર એકબીજાને ગળે મિલી ઈદ્ની મુબારક બાદી પાઠવી હતી.ઈસ્લામિક વર્ષમાં બે ઈદની ઉજવણી કરવામાં આવે છે.
ઈદ્ એલઅજરા અને ઈદ્અલ ફિત્ર જો કે,જીવનની સુખદ યાદો દરેક તહેવાર સાથે જોડાયેલી છે, પરંતુ ઈસ્લામના અનુયાયીઓનો ઈંદ ઉલ અઝહા સાથે ખાસ સંબંધ છે.ઈસ્લામનો અર્થ ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ અને ભગવાન સમક્ષ સંપૂર્ણ શરણાગતિ છે.દરેક મુસ્લિમે ઈસ્લામ ધર્મના પાંચ મૂળભૂત સ્તંભોને પુરા કરવાના હોય છે. જેમાંથી હજ છેલ્લો સ્તંભ છે.
જો મુસ્લિમો પાસે હજ પર જવા માટે પૂરતા પૈસા હોય તો તેમના જીવનમાં એકવાર હજ કરવી ફરજિયાત છે.હજની પૂર્ણાહુતિ પર ઈદ્-ઉલ-અઝહાનો તહેવાર ઉજવવામાં આવે છે, જેને કુરબાની, બલિદાન અથવા બલિદાનનો તહેવાર પણ કહેવામાં આવે છે. ઈસ્લામમાં કુરબાનીનો અર્થ એ છે કે વ્યકિતએ તેની સૌથી કિંમતી વસ્તુ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવી જોઈએ.
એટલે કે તેને ભલાઈ અને ભલાઈના કાર્યોમાં ખર્ચ કરવી જોઈએ પરસ્પર પ્રેમ, સહકાર અને ગરીબોની સેવા આ આ તહેવાર સાથે આનંદ જોડાયેલો છે.યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ત્રણેય ધર્ણોમાં અલ્લાહ પ્રત્યે પયગંબર હઝરત ઈબ્રાહિમના ત્યાગ અને બલિદાનને આજે પણ પરપંરાગત રીતે યાદ કરવામાં આવે છે.આ તહેવાર માનવ મનમાં ઈશ્વર પ્રત્યેની આસ્થાની ભાવના વધારે છે.
ઈદ્-ઉલ-અઝહા દરમિયાન ગરીબો અને અનાથોની ખાસ કાળજી લેવામાં આવે છે. સમાજમાં કોઈ ગરીબ વ્યકિત ભૂખ્યો ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, આ હેતુ માટે ઈદ્-ઉલ-અઝહાની વસ્તુઓ એટકે કુરબાની માટેની વસ્તુઓને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. એક ભાગ પોતાના માટે, બીજો ભાગ ગરીબ સંબંધીઓ માટે અને ત્રીજો ભાગ સમાજના જરૂરિયાતમંદોમાં વહેંચવામાં આવે છે.જેથી લોકો તેઓ સમાજમાં સમાનતાની લાગણી સાથે સારો ખોરાક ખાઈ શકે છે. અને સારા વસ્ત્રો પણ પહેરી શકે છે.
આ દિવસે વિશ્વભરના લોકો સાથે મળીને ખાય છે. અને પીવે છે. ગરીબોને મદદ કરે છે. અને દરેક વ્યકિત પોતાની કોઈ પણ ખરાબ આદત છોડવાની પ્રતિજ્ઞા લે છે. ઈસ્લામના છેલ્લા પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના કથન અનુસાર ઈસ્લામને માનનારી દરેક વ્યકિતનું દાયિત્ય છે કે પોતાનો દેશ સમાજ અને પરિવારની રક્ષા માટે દરેક બલિદાન આપવા, તૈયાર રહેવું તેની જવાબદારી છે તેનો અર્થએ થયો કે ઈસ્લામ વ્યકિત પર તેના પરિવાર, તેના સમાજ અને તેના દેશ પ્રત્યેની પોતાની જવાબદારીઓને પૂર્ણ કરવા પર ભાર મુકે છે.
ઈસ્લામી સાલમાં બે ઈદની ઉજવણી ક્રવામાં આવે છે. ઈદ-ઉલ-અજહા તથા ઈદ-ઉલ-ફિતર આમ તો દરેક પર્વ, તહેવારમાં જીવનની સુખદ યાદો જોડાયેલી હોય છે પરંતુ ઈદ-ઉલ-અજહાથી ઈસ્લામ ધર્મને માનનારા માટે ખાસ નાતો છે. આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં મુસ્લિમ સમાજે ઈદ-ઉલ-અજહા પર્વ મનાવ્યું હતું. પ્રથમ બે તસ્વીરમાં નમાઝ અદા કરતા મુસ્લિમ બિરાદરો તથા ત્રીજી તસ્વીરમાં એકબીજાને ભેટીને ઈદ મુબારક કરતા જોવા મળે છે. છેલ્લી તસ્વીરમાં ઈદ મુબારકની ખુશી વ્યકત કરતા મુસ્લિમ અગ્રણીઓ જોવા મળે છે. (તસ્વીર: દેવેન અમરેલીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy