રાજકોટ,તા.17
વૈષ્ણવ સંપ્રદાયના વર્ષો પહેલાના કિસ્સાને લઈ મહારાજ ફિલ્મ બની છે.જેના સંવાદોને લઈ વૈષ્ણવ સંપ્રદાયમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટમાં પોલીસ કમિશ્નરને આવેદન પત્ર પાઠવાયું હતું.ફિલ્મ જે પુસ્તક પરથી લખાયું છે તેના લેખક સૌરભશાહ, યશરાજ ફિલ્મસ પ્રા.લી.આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી.સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના વિરૂદ્ધ અરજી ફરિયાદ આપતા વૈષ્ણવ અગ્રણીઓએ જણાવ્યું હતું કે,બહુચર્ચિત મહારાજ ફિલ્મના અમુક હિન પ્રકારના સંવાદો કારણે દેશ અને દુનિયા કરોડો સનાતન ધર્મીઓતથા વૈષ્ણવોની લાગણી દુભાણી છે.
પુષ્ટિ માર્ગને બદનામ કરવાની ચાલ સામે અવાજ ઉઠ્યો છે દેશના ખૂણે ખૂણેથી આ ફિલ્મ રિલીઝ ન થાય તે માટે તેમજ લોકોને લાગણી દુભાય તેવા દ્રશ્યો સામે પોલીસ ફરિયાદો પણ થઈ રહી છે ગુજરાતના તમામ નાના-મોટા ગામોમાં પુષ્ટિમાર્ગીય આચાર્યઓ તેમજ વૈષ્ણવ અગ્રણીઓ પોલીસ ફરિયાદ કરીને પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે.
આવા ષડ યંત્ર સામે હવે સનાતન ધર્મના લોકોએ બહાર નીકળવું પડશે નહીંતર આપણી સનાતન ધર્મની સંસ્કૃતિને બહુ જ મોટુ નુકસાન થશે અને ધીમે ધીમે આવા ષડયંત્રોથી આપણી સંસ્કૃતિ ખતમ થતી જશે આ ફિલ્મમાં વલ્લભ સંપ્રદાયને ખરાબ ચીતરવાનોહિન પ્રયાસ કરાયો છે.
રેલી ધરણા વગેરે નક્કી કરવા સાંજે 6:30 વાગ્યે જશુ બાઈ વૈષ્ણવમંડાણ ખત્રીવાડ હવેલી રોડ રાજકોટ ખાતે એક વિશાળ મિટિંગનું પણ આયોજન થયેલ છે કાલે મંગળવારે સવારે 11:00 વાગે એક સ્કૂટર રેલી યોજી રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.વૈષ્ણવ સંપ્રદાયના લોકોને જોડાવવા અપીલ કરાઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy