(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.3
મોરબી જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વસ્તી નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવાય તેવા હેતુથી મોરબી જિલ્લામાં દ્વારા 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી અંન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. સમગ્ર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરમાં 11 જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં વસ્તી નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવવા ચાર તબક્કામાં કાર્યક્રમો યોજાશે.
વિશ્વ વસ્તી દિવસ-2024 ની થીમ ‘માતા અને બાળક ની સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર’ રાખવામાં આવી છે. જ્યારે વિશ્ર્વ વસ્તી દિવસ-2024 માટેનું સૂત્ર ‘વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિ ની શાન’ રાખવામાં આવ્યું છે. આ સ્લોગન હેઠળ આ વર્ષ ચાર તબક્કા માં આ ઉજવણી કરવામાં આવશે. કુટુંબ નિયોજન માટે દંપતિઓ સાથે સંવાદ કરવામાં આવશે. એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy