વેરાવળ, તા. 3
મુખ્યમંત્રી દ્વારા લોકફરિયાદોનું ઝડપી નિવારણ આવે તે માટે ગ્રામ્ય સ્તરે પણ ગ્રામ સ્વાગત કાર્યક્રમ શરૂ કરાયો છે. લોકપ્રશ્નોના નિવારણ માટે ગીર સોમનાથ તાલુકા કક્ષાનો સ્વાગત‘ (ફરિયાદ નિવારણ) કાર્યક્રમ’ તા.24 જુલાઈ ચોથા બુધવારના રોજ યોજાશે. જેમાં તાલુકા કક્ષાના પ્રશ્નો બાબતે મામલતદાર કચેરી ખાતે લાયઝન અધિકારી તેમજ મામલતદાર સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે.
તદઉપરાંત લોકોના પ્રશ્નો-ફરિયાદો કે રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ ઉકેલ મળી શકે તે હેતુસર તા.25 જુલાઈ ચોથા ગુરુવારના રોજ જિલ્લા કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે સવારે 11 કલાકે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત‘ (ફરિયાદ નિવારણ) કાર્યક્રમ’ યોજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્નો-ફરિયાદો 10મી જૂલાઈ સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતાં કરવાના રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy