(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 3
માળોદ, ખોલડીયાદ, રામપરા સહિતના ગામડાને વઢવાણ સાથે જોડતો રસ્તો વિકાસ વિદ્યાલયથી રેલવે ફાટક સુધીનો અંદાજે 800 મીટરનો રસ્તો બિસ્માર બની ગયો છે. આ રસ્તા ઉપર પાણી ભરાવાની સાથે ખાડા પડતા રાહદારીઓ અને વાહનચાલકો ત્રસ્ત બની ગયા છે. આ રસ્તાને રિપેરીંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
વઢવાણ તાલુકાના માળોદ, ખોલડીયાદ, રામપરા સહિતના ગામડાના લોકો વઢવાણ ફાટકથી લઇને વિકાસ વિદ્યાલય તરફનો અંદાજે 800 મીટરના મગરપીઠ સમાન રસ્તા પરથી પસાર થઇ રહ્યા છે. આ રસ્તા પરથી જ વઢવાણ-માળોદ વચ્ચે આવેલા કૈલાશધામ, પંચદશનામ જૂના અખાડા, કેશવગીરીબાપુના સંન્યાસ આશ્રમ, ટાઢી વડલીએ દિવસે અને રાત્રિએ દર્શન કરવા ભક્તો જઇ રહ્યા છે.
પરંતુ આ ફાટકવાળા રસ્તા પર ધૂળ અને ખાડાઓથી ત્રસ્ત બન્યા છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર ડમ્પરો સહિતના વાહનો દિવસ-રાત દોડતા હોવાથી મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy