રાજકોટ,તા.3
રાજકોટની પંજાબ નેશનલ બેંક સામે કરેલ લેણી રકમ રૂ।,25,74,000નો વાદીએ કરેલ દાવો રાજકોટની અદાલતે રદ કરી નાખ્યો છે.મોદી રકમનો દાવો હતો તેથી આ ચુકાદો મહત્વનો બની રહ્યો છે.
કેસની હકીકત એવી કે વાદી જયશ્રીબેન ઠકરાર તથા તેના પતિ ભરતભાઈ ઠકરારના સંયુકત નામની બેંકમાં 11 એફ.ડી.રસીદો હતી. વાદીના પતિ જે કંપનીમાં ડિરેકટર હતા .
તે કંપનીને ટુંકાગાળા માટે નાણાકીય જરૂરીયાતની આવશ્યકતા ઉભી થતા વાદીના પતિએ એફ.ડી.રસીદો ઉપર ટુંકાગાળાની લોન લેવાનો કંપનીમાં ઠરાવ કરેલ અને એફ.ડી.રસીદો ઉપર લોન લેવામાં આવે તો જે લોન તથા વ્યાજ કંપની ભરપાઈ કરશે. એફ.ડી.રસીદોની પાકતી મુદ્દત પહેલા કંપની લોન ભરપાઈ કરી આપશે.વાદીની એફ.ડી.ની રસીદો ઉપર કંપનીએ ટુંકાગાળાની ડિમાન્ડ લોન મંજુર કરાવેલ ડિમાન્ડ લોન કંપનીએ ટુંકાગાળામાં વ્યાજ સાથે બેંકને ભરપાઈ કરવાની હતી .
જે લોન ભરપાઈ કરેલ નહી.તેથી બેંકે સેંકશન લેટરની શરતો મુજબ વાદીની તથા તેના પતિની જોઈન્ટ એફ.ડી.રસીદો માં વાદીની સિગ્નેચર કરાવીને લોન ખાતામાં વાદીની રસીદો ડિસ્ચાર્જ કરીને બેંકે રકમ જમા આપેલ.જયારે કંપનીએ વાદીની એફ.ડી.ની રસીદો સામે બેંંકમાંથી લોન લીધેલ ત્યારે બેંકે વાદીની સંમતિ લીધેલ તેમ છતાં વાદીએ બેંકના આ ટ્રાન્ઝેકશનથી નારાજ થઈ બેંક વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં રકમ રૂ।,25,74,000 તથા વ્યાજ સહીતની રકમ વસુલવા માટે લેણી રકમનો દાવો દાખલ કર્યો હતો.
કોર્ટમાં પ્રતિવાદી બેંક વતી રાજકોટના સિનિયર એડવોકેટ ચેતનભાઈ એન.આસોદરીયાએ દાવાને અનુલક્ષીને જણાવેલ કે વાદીએ બેંક પાસેથી ગેરકાયદેસર રકમ મેળવવાના ઈરાદાથી તદ્દન ખોટો દાવો અદાલતમાં દાખલ કરેલ છે. જે રિજેકટ થવાને પાત્ર છે.વાદીએ જયારે તેમની એફ.ડી.બેંક દ્વારા ડીસ્ચાર્જ કરવામાં આવેલ ત્યારે એફ.ડી.રસીદોમાં સહીઓ કરેલ તેમ છતાં બેંક સામે મલીન ઈરાદાથી આર્થિક લાભ મેળવવા બેંક સામે લેણી રકમનો દાવો કરેલ દલીલો અને વિવિધ કોર્ટના રજુ કરેલ ચુકાદા ધ્યાને લઈ રાજકોટના અધિક સિનિયર સીવીલ જજ એમ એમ.શુકલે વાદીનો દાવો રિજેકટ કરવાનો હુકમ કરેલ હતો.
આ દાવામાં પ્રતિવાદી પંજાબ નેશનલ બેંક વતી સીનીયર એડવોકેટ ચેતન એન.આસોદરીયા તથા જેમીશ આર કાકડીયા નિલેશ એલ ઠાકર, નેહા કારેલીયા રોકાયેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy