રાજકોટ તા.3
રૂા.90000/-ના ચેક રિટર્ન કેસમાં આરોપી રમેશચંદ્ર રતીલાલ મહેતાને નિર્દોષ ઠરાવી છોડી મુકતા કોર્ટે હુકમ કર્યો છે. કેસની હકીકત જોઈએ તો આરોપી અને ફરિયાદી મીત્ર હોય આરોપીને છ માસ માટે મીત્રતા દાવે ફરિયાદીએ આપેલ રૂા.90000 પરત કરવા આરોપીએ આપેલ ચેક રિટર્ન થતા તે અન્વયે ગાયકવાડી પ્લોટમાં રહેતા ફરિયાદી કનૈયાલાલ વૃજલાલ ભીંડોરાએ આનંદનગર કોલોની, નીલકંઠ સીનેમા સામે રહેતા આરોપી રમેશચંદ્ર વિરુદ્ધ દાખલ કરાયેલ.
જે કેસ ચાલતા આરોપીના વકીલની દલીલો ધ્યાને લઈ કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવેલ. આ કેસમાં એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કીશન માંડલીયા, ભાવીક ફેકર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા તથા જસ્મીન કોરાટ રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy