કોલકાતા તા.28
કોલકાતા એરપોર્ટ પર ગઈકાલે એક મોટો વિમાન અકસ્માત ટળી ગયો હતો રનવે પર પસાર થતી વખતે ઈન્ડીગોનું એક વિમાન અને એર ઈન્ડીયા એકસપ્રેસનું વિમાન એકબીજાના સંપર્કમાં આવી ગયા હતા.
એર ઈન્ડીયા એકસપ્રેસ વિમાન કોલકાતાથી ચેન્નાઈ તરફ જવા તૈયાર થઈ રહ્યું હતું આ મામલે વિમાનન નિયામક નાગરીક ઉડ્ડયન મહા નિર્દેશાલયે ડીજીસીએએ કાર્યવાહી કરીને ઈન્ડીગોનાં પાયલોટોને રોસ્ટરમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે.
આ સાથે જ વિસ્તૃત તપાસનો પણ હુકમ આપ્યો છે. આ ઘટનાને કારણે ઈન્ડીગોનાં વિમાનની ઉડાનમાં મોડુ થયુ હતું. ઈન્ડીગોનાં વિમાનમાં ચાર બાળકો સહીત 135 યાત્રીઓ સવાર હતા એર લાઈને કહ્યું હતું કે અમારૂ વિમાન ચેન્નાઈ જવા માટે રનવેમાં પ્રવેશની રાહ જોઈ રહ્યું હતું તે દરમ્યાન આ ઘટના બની હતી. ઈન્ડીગોના બન્ને પાયલોટોને ડયુટીથી હટાવી દેવાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy