મુંબઇ:
રિઝર્વ બેંકે ટેક્સપેયર્સની સુવિધા માટે 30 અને 31મી માર્ચના રોજ તમામ બેંક શાખા ખાતે કામકાજ જાળવી રાખવા આદેશ કર્યો છે. તાજેતરમાં RBIએ એક નિવેદનમાં કહ્યું કે, ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેકશન 30મી માર્ચ અને 31મી માર્ચના રોજ શનિવાર અને રવિવારે નિર્ધારિત સમય સુધી જળવાઈ રહેશે.
RBI દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે નેશનલ નિફ્ટ તથા RTGS સિસ્ટમમાં કોઈ પણ ટ્રાન્ઝેકશન 31 માર્ચ,2024ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી કરી શકાશે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી પ્રાપ્તિ તથા પેમેન્ટને સુવિધાજનક બનાવવા માટે સુધારા અભિયાન ચલાવવા માટે આવશ્યક વ્યવસ્થા કરવામાં આવી છે. આ બન્ને દિવસે સરકારી ચેક માટે 30 તથા 31 માર્ચ 2024ના રોજ સ્પેશિયલ ક્લિયરિંગ થશે.
એપ્રિલ મહિનામાં ક્યારે બેંકોમાં રજા રહેશે
► ગુડી પડવો
► ઈદ-ઉલ-ફિતર
► બોહાગ બિહૂ
► રામ નવમી
► વૈશાખી
અન્ય વિવિધ તહેવારો નિમિત્તે બેંકો બંધ રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy