કોંગ્રેસ ઓફિસ પર ભાજપના હુમલા મામલે આવતીકાલે રાહુલ ગાંધી અમદાવાદ આવશે

Gujarat | Ahmedabad | 05 July, 2024 | 12:08 PM
રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ કેટલો મહાન છે તે અંગે વાત કરેલી, હિંસક માણસ કયારેય હિન્દુ ન હોઇ શકે : શકિતસિંહ ગોહિલ
સાંજ સમાચાર

અમદાવાદ, તા. 5
સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મને લઇને કરેલી ટીપ્પણીના વિરોધમાં ભાજપના કાર્યકરો-નેતાઓએ  કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરી હિંસક વિરોધ કરતા અને તેના ઘેરા પડઘા પડતા વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશની સંસદમાં લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ કેટલો મહાન અને ઉત્તમ એ અંગે વાત કરી હતી, હિંસક માણસ ક્યારેય હિન્દુ ના હોઈ શકે.

રાહુલ ગાંધીની વાત બાદ ભાજપે ડરથી હિંસા માર્ગ અપનાવ્યો છે. ભગવાન રામે પણ લંકા પર ચઢાઈ કરી ત્યારે મહાદેવની પૂજા કરી હતી. ભાજપે જે કર્યું છે તે શિવજીનું અપમાન કર્યું છે. હું અપીલ કરીશ કે, કોઈપણ શિવભક્ત ભાજપને માફ ના કરે. લડાઈ વિચારધારા, સિદ્ધાંતની હોઈ શકે. કોઇ પાર્ટીની ઓફિસમાં પહોંચી તોડફોડ કરવી ગુજરાતની પરંપરા નથી રહી.

કોંગ્રેસ ઓફિસના ચોકીદારની પ્રેગ્નન્ટ દીકરી પર પણ ભાજપના લોકોએ હુમલો કર્યો હતો. બપોરની ઘટના બાદ પણ પોલીસે સાંજની ઘટના થવા દીધી. ગોતા-ઘાટલોડિયાના ભાજપના ગ્રુપમાં 4 વાગ્યે હુમલો કરવાના મેસેજ ફરતા થયા હતા. કોંગ્રેસ કાર્યાલય તરફથી પોલીસને પૂરતો બંદોબસ્ત રાખવા પણ માંગ કરવામાં આવી હતી. એલિસબ્રિજ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવી ઘટના બનવાની છે, તેની કોંગ્રેસ તરફથી જાણ કરાઈ હતી. પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરવાનું કામ કર્યું. સેલ્ફ ડિફેન્સ એ કાયદાએ આપેલો અધિકાર છે, પોલીસ અધિકારી વાળંદની બાજુમાં ઉભા રહી ભાજપના ગુંડાઓ પથ્થર મારી રહ્યા છે, પોલીસ અધિકારી ડંડો ફટકારી પથ્થરબાજી રોકી શકતા હતા.પોલીસની ફરિયાદમાં એકપણ ભાજપના નેતાના નામ નથી. કોંગ્રેસની બે હિન્દુ મહિલાઓના નામ પોલીસ ફરિયાદમાં છે.

કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરનાર લોકો વીડિયો વાઈરલ કરી રહ્યા છે. વીડિયો વાઈરલ થાય બાદ પણ પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી? પોલીસને કોંગ્રેસ ઓફિસ દ્વારા પહેલા જાણ કરવા છતાં પોલીસ પગલાં લીધા નથી. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, સહિતના વરિષ્ઠ નેતાઓએ પોલીસ જાણ કરવામાં છતાં કાર્યવાહી નથી. મંજૂરી વિના ભાજપના લોકો કોંગ્રેસ ઓફિસ આવ્યા છે.

પોલીસ દ્વારા ભાજપના લોકો મદદ કરી છે. સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો ભાજપના લોકો શરૂ કર્યો હતો. પોલીસ જનતા નહિ પણ ભાજપ મદદ કરી રહી હોવાના આક્ષેપ પોલીસની ફરિયાદમાં ભાજપના નેતાનું નામ કેમ નહિ? 

વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમદાવાદના પોલીસ કમિશ્નરની છાપ સારા અધિકારી તરીકેની છે. પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ડીટેન થયેલા નેતાઓના નામ ભાજપને આપ્યા છે.

કોઈની પણ પ્રિમાઇસિસમાં વોરન્ટ વગર ઘૂસવાનો પોલીસને અધિકાર નથી, પોલીસને વિનંતી કે ભાજપના રવાળે ના ચડે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ કરે છે કોંગ્રેસના કાર્યકરો કોઈ ગુન્હેગાર નથી જેથી તેમની સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ. પોલીસ અને ભાજપ કોંગ્રેસને નિ:સહાય ના સમજે. કોંગ્રેસ અન્યાય સહન નહિ કરે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj