► સ્કૂલો બંધ કરવી તે ઉપાય નથી, નિયમ પાલન કરાવો; કેટલાંક સામે પગલા ભરીને કાર્યવાહી બંધ ન થવી જોઇએ
અમદાવાદ, તા.4
રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં રાજ્ય સરકારની રાજ્ય શોધક કમિટિનો રીપોર્ટ આજે ગુજરાત હાઇકોર્ટમાં રજુ કરવામાં
આવ્યો હતો. અદાલતે કેટલીક વેધક ટકોર કરી હતી. એડવોકેટ જનરલે વહિવટ તંત્રમાં ખામીનો સ્વીકાર કર્યો હતો. આ કેસમાં વધુ સુનાવણી 25મી જુલાઇ પર મુલત્વી રાખવામાં આવી હતી.
રાજ્ય સરકારે નિયુક્ત કરેલી અન્ય શોધક સમિતિએ ગઇકાલે સરકારને સોંપ્યો હતો. સરકારે તેના પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આજે સીલબંધ કવરમાં હાઇકોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.
અગ્નિકાંડના રીપોર્ટ વિશે સરકારે એવી રજુઆત કરી હતી કે ટીઆરપી ગેમઝોનને અગાઉ ડીમોલીશન નોટીસ આપવામાં આવી હતી ત્યારે કોર્ટે એવી ટકોર કરી કે ગેમઝોન ગેરકાયદે હોવા વિશે તંત્ર-અધિકારીઓને ખબર હતી.
હાઇકોર્ટે એમ પણ કહ્યું કે તપાસ કાર્યક્રમમાં ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમ હોવી જોઇએ. કેટલાંક લોકો સામે પગલા લઇને શાંત ન થવું જોઇએ કાર્યવાહી ચાલુ રાખવી પડે.
કોર્ટે એમ પણ કહ્યું કે અગ્નિકાંડને પગલે સ્કૂલો બંધ કરવી તે કોઇ ઉપાય નથી. તમામને નિયમોનું પાલન કરતા કરવાની જરૂર છે.
રાજ્યમાં ફાયર સેફટીને લઇને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરનાર અમીત પંચાલે એમ કહ્યું હતું કે રાજ્યમાં ફાયર ઓફિસરોની ખાલી જગ્યા ભરવી જરૂરી છે. કોર્ટે ખાલી જગ્યા વિશે પણ સવાલ પૂછ્યો હતો. બેદરકારી કે અક્ષમતા બદલ સરકાર મ્યુનિસીપલ કમિશ્નરને પણ દૂર કરી શકે છે.
સસ્પેન્ડેડ ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાની ભૂમિકા વિશે પણ ચર્ચા થઇ હતી તેમાં કોર્ટે કહ્યું કે સંસ્થાના વડા અર્થાત મ્યુ. કમિશ્નરની પણ જવાબદારી બને અને આવા અધિકારીઓના આધારે સિસ્ટમ ચાલી ન શકે. આ પ્રકરણમાં વધુ સુનાવણી હવે 25 જુલાઇએ રાખવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy