અયોધ્યા ધામ વિકાસ પરિષદની કરાશે રચના: 125 હેરિટેજ મંદિરોનો ર્જીણોદ્ધાર થશે

India | 23 May, 2024 | 11:42 AM
♦ પહેલા 37 મંદિરોની પસંદગી બાદ હવે સંખ્યામાં વધારાશે
સાંજ સમાચાર

♦ ગ્રામીણ વિસ્તારોમાં ધાર્મિક સ્થળો અને મઠોનો કરાશે વિકાસ

 

અયોધ્યા, તા.23
અયોધ્યાના વિકાસ માટે રાજ્ય સરકારે અયોધ્યા ધામ વિકાસ પરિષદની રચના કરી છે.  જો કે હજુ સુધી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં માત્ર એક જ બેઠક થઈ છે.  લોકસભા ચૂંટણીની આચારસંહિતા ખતમ થતાં જ આ સંગઠન કામ કરવાનું શરૂ કરી દેવામાં આવશે.  

અયોધ્યા ધામ ડેવલપમેન્ટ કાઉન્સિલના સીઈઓ સંતોષ કુમાર શમનના જણાવ્યા અનુસાર, કાઉન્સિલ અયોધ્યાને દેશના એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે સમગ્ર જિલ્લામાં તીર્થસ્થળોના વિકાસ પર કામ કરશે.

અયોધ્યાના પ્રવાસન અને અન્ય વિભાગોના અધિકારીઓને પણ આ પરિષદ સાથે જોડવામાં આવ્યા છે, જેઓ તેમના વિભાગની વિકાસ યોજનાઓના પ્રોજેક્ટ અયોધ્યા ધામ વિકાસ પરિષદને મોકલશે.

 

પર્યટન વિભાગે તેનો એક્શન પ્લાન મોકલ્યો
બોર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર (પર્યટન) આરપી યાદવે કહ્યું કે, પર્યટન વિભાગના એક્શન પ્લાન 2024-25નો પ્રસ્તાવ અયોધ્યા ધામ વિકાસ પરિષદને મોકલવામાં આવ્યો છે.  પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે પ્રોજેક્ટ દરખાસ્તો મોકલવામાં આવેલ.

 

વોટર બોડી ટુરિઝમ
લખનૌ-અયોધ્યા હાઈવે નજીકના સોહાવલ તાલુકામાં નીલકંઠ સુરવારીનો વોટર બોડી ટુરિઝમ માટે સર્વે કરવામાં આવ્યો છે.  આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે.  આ સાથે માછલીઓ અને જળચર પ્રાણીઓને મોટા તળાવમાં મૂકીને તેનું સંરક્ષણ કરવામાં આવશે.  આ સ્થળોને પ્રવાસન કેન્દ્રોના ધોરણો અનુસાર સુવિધાઓથી સજ્જ કરવાની યોજના છે. 

આવા સ્થળો બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.  તેમાં જનપ્રતિનિધિઓ દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્તોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  અત્યાર સુધી અયોધ્યાના 37 મંદિરોને હેરિટેજ સ્વરૂપે વિકસાવવાની યોજના પર કામ ચાલી રહ્યું હતું. નવી દરખાસ્તમાં 125 મંદિરોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક અને તીર્થસ્થળોની સાથે પુરાતત્વીય મહત્વના સ્થળો, મઠો, મંદિરો, તળાવો અને પ્રવાસન માટે મહત્વના સ્થળો રાખવામાં આવ્યા છે. 

 

ઈકો ટુરિઝમ પ્રોજેકટ
ડેપ્યુટી ડાયરેક્ટર યાદવની દરખાસ્ત મુજબ ઈકો ટુરિઝમ વિકસાવવાના પ્રોજેક્ટ ઉમેરવામાં આવ્યા છે.  જેમાં એવા ગામોની પસંદગી કરવામાં આવી છે જ્યાં કુંભારો દિવાળી પર્વ પર લાખો દીવા તૈયાર કરે છે. આ ગામોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને ઈકો-ટેક વિલેજ તરીકે વિકસાવવાની યોજના છે. 

સોહાવલ તાલુકામાં સમાદા તળાવને ઈકો ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવામાં આવ્યું છે.  અહીં ગ્રામીણ વાતાવરણને પ્રવાસન કેન્દ્ર તરીકે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે.  તેની જાળવણી અને સંચાલનની જવાબદારી ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj