નવી દિલ્હી, તા.29
પાટનગરના શરાબ ગોટાળામાં જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્થાને હવે પક્ષના લોકસભા ચૂંટણી પ્રચારનો દૌર તેમના પત્ની સુનીતા કેજરીવાલે સંભાળી લીધો છે અને આજે તેઓએ પાટનગરમાં ‘કેજરીવાલ કો આશિર્વાદ કેમ્પન લોન્ચ કર્યું છે’.
જેમાં વોટ્સએપ મારફત આમ આદમી પાર્ટી દિલ્હીના નાગરિકો પાસેથી કેજરીવાલને ટેકો આપવાનો અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપવાનું ઝુંબેશ ચલાવશે.
સુનિતા કેજરીવાલે આજે પત્રકાર પરિષદમાં મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, દેશના સૌથી ભ્રષ્ટ અને આપખુદ શાહી તાકાતોને અરવિંદ કેજરીવાલે પડકાર ફેંક્યો હતો અને તેથી તેમને જેલમાં જવું પડ્યું છે.
ગઇકાલે જ અરવિંદ કેજરીવાલે ઇડીના વધુ રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે અને લોકસભાની ચૂંટણી માટે તેઓ પ્રચાર કરવા જેલ બહાર નીકળી નહીં શકે તેવા સંકેતો મળતા હવે સુનિતા કેજરીવાલે પ્રચારનો દૌર સંભાળી લીધો છે.
તેમણે પોતાના પતિની તુલના સ્વતંત્રતા સેનાની સાથે કરતાં કહ્યું કે, તેમના રોમ-રોમમાં દેશ ભક્તિ છે. પરંતુ તેઓએ તાનાશાહી અને ભ્રષ્ટને પડકારવાની જે હિંમત કરી તેનો બદલી મળી રહ્યો છે.
હું તેની સાથે 30 વર્ષથી છું અને હું જાણું છું સુનિતા કેજરીવાલે એક વોટ્સએપ નંબર: 8297324624 લોન્ચ કરતાં દિલ્હીવાસીઓને આ નંબર ઉપર કેજરીવાલને માટે આર્શિવાદ પાઠવવા અપીલ કરી હતી. અરવિંદ કેજરીવાલ સામે કાનૂની કાર્યવાહી બાદ સુનિતા કેજરીવાલ હવે મેદાને આવતા આમ આદમી પાર્ટીનો જુસ્સો વધશે તેવા સંકેત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy