નવી દિલ્હી, તા.14
કેનેડામાં ઘણા સ્ટુડન્ટ પીઆરના સપના સાથે જાય છે તેથી તેઓ બિનજરૂરી કોર્સમાં એડમિશન લે છે. આવા યુવાનો માટે કેનેડાના રસ્તા બંધ થઈ શકે છે કારણ કે કેનેડામાં હવે જોબ માર્કેટમાં ડિમાન્ડ હશે તે પ્રમાણે જ વર્ક પરમિટ આપવામાં આવશે. તેથી પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ માટે ભારતીયોએ નવેસરથી પસંદગી કરવી પડશે.
કેનેડાએ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ માટે નવી સ્કીમ દાખલ કરી છે. જે મુજબકેનેડામાં જે જોબમાં લોકોની અછત હોય તેને જ પ્રાથમિકતા અપાશે
તમામ પ્રોવિન્સ પોતાની જોબ માર્કેટના આધારે પરમિટ આપશેકેનેડિયન સરકારે પ્રોવિન્સિયલ સરકારોને લખીને કહ્યું છે કે પોસ્ટ-સ્ટડી વર્ક પરમિટને લેબર માર્કેટની જરૂરિયાત પ્રમાણે ઘડવાની જરૂર છે જેથી એકંદરે કુલ પોસ્ટ-સ્ટડી વર્ક પરમિટધારકોની સંખ્યા ઘટે. ઈમિગ્રેશનન, રેફયુજી એન્ડ સિટિઝનશિપ કેનેડાએ કહ્યું છે કે લેબર માર્કેટના આધારે જ પોસ્ટ-સ્ટડી વર્ક પરમિટની પોલિસી ઘડવામાં આવશે.એટલે કે કેનેડામાં જે જોબ કે ઓક્યુપેશન માટે માણસોની અછત છે તે ફિલ્ડના સ્ટુડન્ટને વર્ક પરમિટ મળે તે માટે કામ કરવામાં આવશે.
જ્યારે બીજા પ્રોગ્રામના ગ્રેજયુએટ્સ માટે એક્સેસ ઘટાડવામાં આવશે. તેનાથી કેનેડામાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટનું વોલ્યુમ ઘટી શકે છે. લેબર માર્કેટમાં જેની જરૂર નથી તેવા લોકોને પોસ્ટ-સ્ટડી વર્ક પરમિટ કદાચ નહીં મળે. આ સુધારા જાન્યુઆરી 2025થી લાગુ થાય તે રીતે કરવાના છે.
પોસ્ટ-સ્ટડી વર્ક પરમિટ એટલે કે PGWP એ એક કેનેડા સરકારનો એક લોકપ્રિય પ્રોગ્રામ છે જેમાં જે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટે ડીએલઆઈ (ડેઝિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટિટ્યુટ)માં પોતાનો પ્રોગ્રામ પૂરો કર્યો હોય તેઓ કેનેડામાં પોતપોતાના ફિલ્ડમાં અનુભવ મેળવે છે.
PGWP નો સમયગાળો કેટલો રહેશે તે કેનેડામાં સ્ટુડન્ટના સ્ટડી પ્રોગ્રામના ગાળા પર આધારિત હોય છે. તે આઠ મહિનાનો પણ હોઈ શકે અને ત્રણ વર્ષ પણ હોઈ શકે છે. પરંતુ જો PGWPની વેલિડિટી પૂરી થાય તે અગાઉ સ્ટુડન્ટના પાસપોર્ટની વેલિડિટી પૂરી થતી હોય તો પાસપોર્ટની એક્સપાયરી ડેટ સુધી જ પરમિટ લાગુ રહે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy