નવી દિલ્હી,તા.6
શેરબજારમાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં સતત મોટો વધારો થવા સાથે રોકાણકારોને પ્રોત્સાહન આપવા માર્કેટ નિયમનકાર સેબી દ્વારા નવા-નવા સુધારાના પગલા લેવામાં આવી રહ્યા છે. હવે ડીમેટ ખાતાનાં ક્ષેત્રે ઈન્વેસ્ટરોને રાહત આપવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સેબી દ્વારા એવી દરખાસ્ત કરવામાં આવી છે કે ચાર લાખ સુધી ડીમેટ ખાતામાં કોઈ ચાર્જ નહીં લાગે જયારે 10 લાખ સુધી 100 રૂપિયાનો ચાર્જ રહેશે. સેબીએ 26 જુન સુધીમાં પક્ષકારોનાં અભિપ્રાય માંગ્યા છે. ત્યારબાદ આખરી દિશા નિર્દેશ જારી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીમેટ ક્ષેત્રે વધુ ઈન્વેસ્ટરોને સામેલ કરવા બેઝીક ડીમેટ ખાતાનો કન્સેપ્ટ શરૂ કરવામાં આવશે. પ્રવર્તમાન નિયમ મુજબ હાલ તેમાં બે લાખ સુધીનાં શેરોની મર્યાદા છે. હવે સેબી દ્વારા આ મર્યાદા વધારીને 10 લાખ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
આ સિવાય શેરોની ડીલીવરી સીધી ગ્રાહકોનાં ખાતામાં કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.ગ્રાહકોના હીત જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય 14 ઓકટોબરથી લાગુ થશે.
પ્રવર્તમાન નિયમો મુજબ હાલ શેર બ્રોકરનાં ખાતામાં જમા થાય છે અને ત્યારબાદ ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સેબીએ શેરબજારો-ડીપોઝીટરી સહીતનાં પત્રકારો સાથે વિચાર વિમર્શ કરીને આ નિર્ણય લીધો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy