રાજકોટ,તા.7
દેશમાં ચાલી રહેલા રાજકીય વાતાવરણ અને લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પણ બજારમાં તેજીનું વાતાવરણ જળવાયેલું જોવા મળી રહ્યું છે.સારા ચોમાસાનો પણ આશાવાદ બજારમાં જોવા મળી રહ્યો છે. શેરબજાર માટે લોકોનો અભિગમ પોઝીટીવ જોવા મળી રહ્યો છે.જોકે થોડી સાવચેતી પણ જોવા મળી રહ્યો છે.
શેરબજારના નિષ્ણાંત શ્રી પરેશભાઈ વાઘાણી ના મતે શેરબજારમાં સરવાળે સારું વળતર મળી રહ્યું છે .રોકાણકરો ને શેરબજાર પર વિશ્વાસ છે. બેંક ડિપોઝિટ કરતા ખૂબ જ સારું વળતર શેરબજારે આપ્યું છે. ઘણા વર્ષોથી બેંક વ્યાજ કરતા સારૂ વળતર મળી રહ્યું છે.
સામાન્ય રીતે મોટી ઇવેન્ટમાં પણ વધ-ઘટ જોવા મળતી હોય છે,જે આપણે આ અઠવાડિયે જોઈ છે. પરંતુ,બજારમાં ફરી રોનક આવી છે અને લોકસભા જેવી ચૂંટણીમાં લોકો થોડા સાવચેત રહેતા જ હોય છે. પરંતુ, સરવાળે તો રોકાણકારો પોતાના જ રોકાણો વધારતા જ હોય છે.
આગામી દિવસોમાં પણ મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ વધશે. પ્રાઇમરી માર્કેટમાં પણ તેજી જ થશે.આવનારા મોટા આઈ.પી.ઓ સરળતાથી ઓવર સબસ્ક્રાઇબ થશે.પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટ બંનેમાં મોટાપાયે એક્ટિવિટી બજાર તરફથી જોવા મળશે.
વિદેશી નાણાકીય સંસ્થાઓ એક જરૂર ચિંતાનો વિષય છે કેમ કે તેઓ સતત શેરબજારમાં વેચવાલી કરે છે. ઓવર ઓલ લાંબા ગાળે કરેલા રોકાણમાં સારું વળતર મળવાની શક્યતા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy