મુંબઈ: મંગળવારે શેરબજારમાં આવેલા ભારે ઘટાડાથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના મનમાં શંકા અને ડરની લાગણી જન્મી હતી. રિટેલ રોકાણકારો પણ તેમના રોકાણના મૂલ્યમાં ઘટાડો થવાથી ડરતા હતા. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં શેરબજારમાં આવેલી તેજીનો લાભ લેવા સ્થાનિક રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં વધુને વધુ રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા રોકાણ એપ્રિલ મહિનામાં પ્રથમ વખત રૂા.20 હજાર કરોડના સ્તરને વટાવી ગયુ હતું.
આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે, શું વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી છેલ્લા ઘણા મહિનાઓથી મ્યુચ્યુઅલ ફંડ અને ડાયરેકટ માર્કેટમાં સ્થાનિક રોકાણકારોની જોરદાર લેવાલી પર હવે બ્રેક લાગશે?
શું મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અને રોકાણકારો તેમની રોકાણ વ્યુહરચના બદલશે?
વેલ્યુ રિસર્ચના સીઈઓ ધીરેન્દ્રકુમાર કહે છે કે, અર્થવ્યવસ્થા અને વ્યાપાર જે વિકાસના માર્ગ પર નીકળ્યા છે તે હવે બદલાશે નહી. શું કાંઈ જીએસટી સેમીક્ધડકટર, મેન્યુફેકચરીંગ, ઈન્ફ્રા, પીએસયુ રિફોર્મ્સ, કંપનીઓના નફામાં ફેરફાર કરી શકે છે?
આ હવે રિવર્સ થઈ શકે નહી હા, તેમાં થોડાં ફેરફાર થશે. પહેલા જેવી છુટ સાથે કામ કરી શકાશે નહી અને બજાર થોડા સમય માટે અસ્થિર રહી શકે છે. પરંતુ એ પણ નિશ્ચિત છે કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીના નાણાંનો પ્રવાહ ચાલુ રહેશે. એસઆઈપી રોકાણકારોએ આ ઘટાડાને તક તરીકે જોવી જોઈએ. રોકાણકારોએ તેમના રોકાણમાં વૈવીધ્યીકરણ કરવું જોઈએ.
‘દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે. બજારની આ પ્રતિક્રીયા ટુંકાગાળા માટે છે. આ ઘટાડામાં એસઆઈપી રોકાણકારોની સરેરાશ કિંમત ઘટશે, વધુ યુનિટસ ઉપલબ્ધ થશે. આ સમયે નવા રોકાણકારોએ જોઈએ તકને સમજીને રોકાણ કરવું જોઈએ.
ઈકિવટી એ લાંબાગાળાનો માર્ગ છે. આ 5-7 વર્ષમાં જોવું જોઈએ અને આ લક્ષ્ય લક્ષી એવન્યુમાં ઘણા વર્ષો પછી, તેમને આ ઘટાડો યાદ પણ નહીં હોય. બ્રોડ માર્કેટ સારું છે અને રોકાણકારોએ તેમની એસઆઈપી ચાલુ રાખવી જોઈએ.
રોકાણકારોએ ઘટાડાને તક તરીકે ધ્યાનમાં લેવી જોઈએ અને તેનો લાભ લેવો જોઈએ. તે જ સમયે, આનંદ રાઠી ગ્રુપના સહ-સ્થાપક પ્રદીપ ગુપ્તા કહે છે, ‘ઐતિહાસિક ડેટા સૂચવે છે કે વોલેટિલિટી પણ બજાર રિકવરી કરે છે.’
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy