રાજકોટ,તા.27
ધરમ નગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા ધો.12ના વિદ્યાર્થી 18 વર્ષીય શ્રીદેવ નકુમે અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાસો ખાંઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો શ્રીદેવ મહેન્દ્રભાઈ નકુમ (ઉ.વ.18) આજે બપોરે બાર વાગ્યાના આસપાસ પોતાના ઘરે હતો ત્યારે રૂમમાં જઈ પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ત્યા હાજર તેમના પિતાએ રૂમ ખોલતા જ પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો. દરમ્યાન આસપાસના લોકો દોડી આવતા 108ને જાણ કરતા દોડી આવેલ 108ની ટીમે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે જાણ થતા યુનિવર્સિટી મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમઅર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ મૃતક શ્રીદેવને ધો.12 પાસ કયું હતું. અને કોલેજમાં એડમીશન લેવાની તેયારી કરતો હતો.બનાવ અંગે પરીવાર જનો પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. મૃતક બે ભાઈમાં મોટો હતો અને તેમના પિતા પ્લબીંગ કામ કરતા હોવાનું સામે આવ્યું છે.બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત થવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy