રાજકોટ, તા.29
રાજકોટ જૈન સમાજના અગ્રણી તથા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા સરળ અને મિલનસાર સ્વભાવના શશીભાઇ વોરાનો આવતીકાલે તા.30ના રવિવારના જન્મ દિન છે. તેઓ 79 વર્ષ પૂર્ણ કરીને 80મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આજે પણ છેલ્લા નવ વર્ષથી જૈન ભવનમાં ચાલતા ભોજનાલયની તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય ગણાશે કે શશીભાઇ વોરા 40 વર્ષ સુધી બેંક ઓફ બરોડામાં સેવા આપી હતી મેનેજરના પદે રહીને નિવૃત થયા હતા. ત્યારબાદ પંદર વર્ષ સુધી લોકસેવાના કાર્યોમાં વ્યસ્ત રહ્યા બાદ આજે પણ અડિખમ રીતે જૈન ભવનમાં માનદ સેવા આપી રહ્યા છે. તેમનો મો.નં. 94282 01087 છે. શુભેચ્છકોનું વિશાળ વર્તુળ ધરાવતા શશીભાઇ વોરા આવતીકાલે સેવાકાર્યો સાથે જન્મદિનની ઉજવણી કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy